જયલલિતાના નિધનના સમાચાર સાંભળીને આઘાતમાં અત્યાર સુધીમાં 77 લોકોના મોત

એઆઇએડીએમકે તરફથી કહેવામાં આવ્યુ છે કે જયલલિતાના નિધનના સમાચાર સાંભળીને અત્યાર સુધીમાં 77 લોકોના મોત થયા છે. તેમના મોત જયલલિનાના મોતના સમાચાર સાંભળ્યા બાદ આઘાતને કારણે થયા છે...

તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાનું સોમવારે લાંબી માંદગી બાદ નિધન થયુ હતુ. તેમની અંતિમ સંસ્કાર વિધિ પણ કરી દેવામાં આવી છે. પરંતુ જયલલિતાના નિધન બાદ સમગ્ર તમિલનાડુમાં હજુ પણ શોકનો માહોલ છે. બુધવારે એઆઇએડીએમકે તરફથી કહેવામાં આવ્યુ છે કે જયલલિતાના નિધનના સમાચાર સાંભળ્યા બાદ અત્યાર સુધીમાં 77 લોકોના મોત નીપજ્યા છે. તેમના મોત જયલલિતાના નિધનના સમાચાર સાંભળ્યા બાદ આઘાતને કારણે થયા છે.

jayalalitha

એઆઇએડીએમકેએ મૃતકોના પરિવારો માટે 3 લાખ રુપિયાના વળતરની ઘોષણા કરી છે. તમને જણાવી દઇએ કે આ પહેલા જ્યારે જયલલિતાને આવકથી વધુ સંપત્તિના મામલે સજા થવાથી જેલમાં જવુ પડ્યુ હતુ ત્યારે કથિત રીતે દુખી થઇને તેમના ઘણા સમર્થકોએ પોતાનો જીવ આપી દીધો હતો.

એઆઇએડીએમકેએ દુખ અને આઘાતને કારણે થયેલ મૃતકોનો આંકડો તો જારી કર્યો છે પરંતુ એ નથી જણાવ્યુ કે આમાં પુરુષો અને મહિલાઓની સંખ્યા કેટલી છે અને આ લોકો પ્રદેશમાં ક્યાંના રહેવાસી છે. ઉલ્લેખનીય છે કે જયલલિતા છેલ્લા 77 દિવસોથી હોસ્પિટલમાં ભરતી હતા. ગયા રવિવારે સાંજે તેમને કાર્ડિયાક એરેસ્ટ થયો. ત્યારબાદ સોમવારે રાત્રે 11.30 કલાકે તેમનું નિધન થઇ ગયુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X