બજરંગદળનું એલાનઃ ‘નવજોત સિદ્ધુનું માથુ કાપીને લાવનારને આપશે 5 લાખ'
પંજાબ સરકારમાં મંત્રી અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુનું પાકિસ્તાન જવુ તેમના માટે મુસીબત બની ગયુ છે.
પંજાબ સરકારમાં મંત્રી અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુનું પાકિસ્તાન જવુ તેમના માટે મુસીબત બની ગયુ છે. કારણ છે તેમનુ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાના શપથ ગ્રહણ સમારંભમાં પાકિસ્તાની જનરલ કમર જાવેદ બાજવાને ગળે મળવાનું. આના માટે મુખ્યમંત્રી અમરિન્દર સિંહે પણ તેમની ટીકા કરી છે. વળી બીજી તરફ હવે બજરંગ દળ સંગઠને તેમનુ માથુ કાપી લાવનાર માટે ઈનામનું એલાન કર્યુ છે.
|
નવજોત સિદ્ધુનું માથુ કાપનારને આપશે 5 લાખ રૂપિયા
વાસ્તવમાં હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બજરંગ દળનો એક કાર્યકર્તા સંજય જાટ સિદ્ધુનું માથુ કાપી લાવનારને પાંચ લાખ રૂપિયા ઈનામ રૂપે આપવાની ઘોષણા કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં સંજય પાંચ લાખ રૂપિયાનો ચેક બતાવીને કહી રહ્યો છે કે તે આ ચેક એ વ્યક્તિને આપશે જે નવજોત સિદ્ધુનું માથુ કાપીને તેની પાસે લાવશે.

સિદ્ધુ સામે દેશદ્રોહનો કેસ ફાઈલ
તમને જણાવી દઈએ કે આ પહેલા સિદ્ધુથી નારાજ કેટલાક લોકોએ યુપીના કન્નોજ, ફરુખાબાદ, બુલંદશહર, આગ્રા, વારાણસીમાં તેમના પૂતળા ફૂંક્યા હતા. વળી વારાણમસી અને કાનપુરની અદાલતોમાં મંગળવારે કોંગ્રેસી નેતા નવજોત સિંહ સુદ્ધુ સામે રાજદ્રોહનો કેસ કરવા અંગે યાચિકા દાખલ કરવામાં આવી છે.

ઈમરાન ખાને સિદ્ધુને શાંતિદૂત ગણાવ્યા
પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને સિદ્ધુને શાંતિદૂત ગણાવ્યા છે. ઈમરાન ખાને મંગળવારે કહ્યુ કે પાકિસ્તાનમાં મારા શપથગ્રહણમાં શામેલ થવા માટે સિદ્ધુનો આભાર વ્યક્ત કરુ છુ. તેઓ અહીં શાંતિના દુત બનીને આવ્યા હતા અને તેમને અહીં પાકિસ્તાનના લોકોનો ખૂબ પ્રેમ મળ્યો.

શહીદ ઔરંગઝેબના પિતાની પીએમમે ભાવુક અપીલ
ઈમરાન ખાનના આ નિવેદન બાદ શહીદ જવાન ઔરંગઝેબના પિતા મોહમ્મદ હનીફે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભાવુક અપીલ કરી છે. તેમણે મોદીને અનુરોધ કર્યો છે કે તેઓ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન સાથે મુલાકાત કરે જેથી બંને દેશો વચ્ચે એવી સમજ હોય કે કોઈનું પણ મોત ન થાય. શૌર્ય ચક્રથી સમ્માનિત શહીદના પિતાએ કહ્યુ કે પાકિસ્તાન તરફ ફરીથી એકવાર દોસ્તીનો સંદેશ મોકલો. તેમણે કહ્યુ કે સિદ્ધુ સાહેબે પાક સેના પ્રમુખ સાથે મુલાકાત કરી. મને લાગે છે કે તેમણે (પાક સેના પ્રમુખ) ને અમને પણ મળવુ જોઈએ. હું ઈમરાન ખાનને કહેવા ઈચ્છીશ કે જો તે એક પગલુ આગળ વધશે તો અમે 100 આગળ વધીશુ.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
