Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કેન્દ્ર સરકારે ખેડૂતોને ચર્ચા માટે આમંત્રણ આપ્યુ, તમામ મુદ્દે વાતચીત કરવા તૈયાર

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના ખેડૂત વિરોધી રવૈયાથી પરેશાન ખેડૂતોએ દિલ્હી કુચ કરી છે. આ કુચથી સરકાર ઘુંટણીએ આવી છે અને ચર્ચા માટે તૈયાર થઈ છે.

કેન્દ્રીય કૃષિમંત્રી અર્જુન મુંડાએ વિરોધ કરી રહેલા ખેડૂતોને વાટાઘાટોના પાંચમા રાઉન્ડ માટે આમંત્રણ આપ્યું છે અને જાહેરાત કરી છે કે સરકાર તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે.

Farmer Protest

અર્જુન મુંડાએ X પર લખ્યું કે, ચોથા રાઉન્ડ પછી સરકાર પાંચમા રાઉન્ડમાં MSP માંગ, પાક વૈવિધ્યકરણ, પરાણી અને FIR સહિતના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. હું ફરીથી ખેડૂત નેતાઓને ચર્ચા માટે આમંત્રિત કરું છું. અમારા માટે શાંતિ જાળવવી મહત્વપૂર્ણ છે.

જણાવી દઈએ કે, બુધવારે આંદોલનકારી ખેડૂતોએ તેમની દિલ્હી ચલો કૂચના ભાગરૂપે શંભુ ખાતે પંજાબ-હરિયાણા બોર્ડરથી દિલ્હી તરફ જવાનો પ્રયાસ કર્યો ત્યારે સુરક્ષા દળોએ ટીયર ગેસના શેલ છોડ્યા.

પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની કાયદેસર ગેરંટી સહિતની વિવિધ માંગણીઓ માટે કેન્દ્ર પર દબાણ લાવવા તેમની દિલ્હી ચલો કૂચ પછી હરિયાણા સાથેની પંજાબની સરહદ પર શંભુ અને ખનૌરીમાં વિરોધ કરી રહેલા ખેડૂતોને સુરક્ષા દળોએ અટકાવ્યા. જેના કારણે અથડામણો પણ થઈ.

સોમવારે આંદોલનમાં ભાગ લેતા ખેડૂત નેતાઓએ પાંચ વર્ષ માટે સરકારી એજન્સીઓ દ્વારા MSP પર કઠોળ, મકાઈ અને કપાસની ખરીદી કરવાની કેન્દ્રની દરખાસ્તને નકારી અને કહ્યું કે તે ખેડૂતોના હિતમાં નથી અને તેઓ બુધવારે રાજધાની તરફ કૂચ કરશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X