લાઉડ સ્પીકર વગાડવાને કારણે વિવાદ, મંદિરમાં તોડફોડ
ઉત્તરપ્રદેશના પીલીભીત જિલ્લાના રોહનિયા ગામમાં લાઉડ સ્પીકર વગાડવાને કારણે વિવાદ થયો અને ત્યારપછી મંદિરમાં તોડફોડ કરવાની ઘટના પણ સામે આવી છે.
ઉત્તરપ્રદેશના પીલીભીત જિલ્લાના રોહનિયા ગામમાં લાઉડ સ્પીકર વગાડવાને કારણે વિવાદ થયો અને ત્યારપછી મંદિરમાં તોડફોડ કરવાની ઘટના પણ સામે આવી છે. આ મામલે પોલીસે કેસ નોંધી, અત્યારસુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પરંતુ ગામમાં તણાવની સ્થિતિને જોતા ભારે સંખ્યામાં પોલીસબલ ગોઠવી દેવામાં આવ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના પીલીભીતના બિસલપુર ક્ષેત્રના રોહનિયા ગામની છે. અહીં ધાર્મિક સ્થળ પર મંગળવારે સાંજે લાઉડ સ્પીકર પર ભજન ચાલી રહ્યું હતું, જેને કારણે બીજા સમુદાયના 5 લોકો રાત્રે લગભગ 8 વાગ્યે ત્યાં પહોંચ્યા અને લાઇડ સ્પીકર બંધ કરવા માટે કહ્યું. પૂજારી રામપ્રસાદે ના પાડી ત્યારે તેમની પીટાઈ કરી નાખી. લાઇડ સ્પીકર તોડી નાખ્યું અને મંદિરની મૂર્તિઓ ખંડિત કરી દીધી.
આ પણ વાંચો: ભાજપ નેતાઓની ઑડિયો ટેપ લીક, નિતિન ગડકરી માટે કહ્યા અપશબ્દો
આ ઘટનાને કારણે ગામમાં તણાવ વધી ગયો છે. રાત્રે જ એસડીએમ સૌરભ દુબે, સીઓ પ્રવીણ મલિક પોલીસ ફોર્સ સાથે પહોંચ્યા અને આખો મામલો શાંત કરાવ્યો. પોલીસે સૌરભ શુકલાની ફરિયાદ પર મેહબૂબ, મોનિશ, ઈઝરાઈલ, આઝાદ અને અલાનુર વિરુદ્ધ સાંપ્રદાયિક ઉન્માદ ફેલાવવા, મારપીર, ધમકાવવાના ગંભીર આરોપમાં અલગ અલગ ધારાઓમાં રિપોર્ટ નોંધ્યો છે. તેની સાથે ગામમાં તણાવની સ્થિતિને જોતા વધારે સંખ્યામાં પોલીસબલ ગોઠવી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરઃ પુલવામા એનકાઉન્ટરમાં અત્યાર સુધી 4 આતંકી ઠાર, આતંકી બનેલો જવાન પણ ઠાર કરાયો
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
