દંપતીએ 70 વર્ષના નોકરની હત્યા કરી, કારણ જાણીને ચોંકી ઉઠી પોલીસ
મહારાષ્ટ્રના કુર્લા ગોવંડીના માનખુર્દ વિસ્તારમાં 70 વર્ષીય નોકરની ઘાતકી હત્યાનો મામલો પોલીસે ઉકેલી લીધો છે. આ હત્યાના આરોપી દંપતીએ વૃદ્ધને લાકડા અને લાકડીઓ વડે માર મારી હત્યા કરી નાખી હતી.
મુંબઈ : મહારાષ્ટ્રના કુર્લા ગોવંડીના માનખુર્દ વિસ્તારમાં 70 વર્ષીય નોકરની ઘાતકી હત્યાનો મામલો પોલીસે ઉકેલી લીધો છે. આ હત્યાના આરોપી દંપતીએ વૃદ્ધને લાકડા અને લાકડીઓ વડે માર મારી હત્યા કરી નાખી હતી. મુંબઈ પોલીસે આ કેસનો ઉકેલ લાવતા બંને પતિ-પત્નીની ધરપકડ કરી અને જેલમાં મોકલી દીધા છે.
શંકાના આધારે તેને મારવામાં આવ્યો ઢોર માર
હકીકતમાં દંપતીને શંકા હતી કે, તેમનો વૃદ્ધ નોકર તેમની સગીર છોકરી સાથે ખોટું કામ કરી રહ્યો છે. આ શંકામાં બંનેએ નોકરને એટલો માર માર્યો કે, તે મૃત્યુ પામ્યોહતો. હત્યા બાદ બંને આરોપીઓ નોકરની લાશને લઈને નિર્જન જગ્યાએ મૂકી ગયા હતા.
સ્થાનિક લોકોની ફરિયાદના આધારે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યોત્યારે વૃદ્ધાના શરીરના અનેક હાડકાં તૂટેલા હોવાનું બહાર આવ્યું હતું.
હત્યા બાદ દંપતિ ફરાર
આ કિસ્સામાં કેટલાક રહેવાસીઓએ રસ્તા પર મૃતદેહ જોયો અને તરત જ માનખુર્દ પોલીસને જાણ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકની ઓળખ મોહમ્મદઈસ્મત તરીકે થઈ છે.
પોલીસે એફઆઈઆર નોંધીને તેની તપાસ શરૂ કરી હતી, જે દરમિયાન માનખુર્દ પોલીસે આરોપીને શોધવા માટે 5 ટીમ બનાવી હતી. ટીમઆરોપીના ઘરે પહોંચે તે પહેલા તે તેની પત્ની અને બાળકો સાથે ભાગી ગયો હતો.
ચેમ્બુરમાં છૂપાયો હતો આરોપી
પોલીસે જણાવ્યું કે, આરોપી પટના જવાની તૈયારી કરી રહ્યો હતો. પોલીસે આઈટી સર્વેલન્સ અને અન્ય સ્ત્રોતો સક્રિય કર્યા અને આરોપી પતિની તેની પત્ની ફિરોઝાજાફર (35) સાથે ચેમ્બુરથી ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, બંને આરોપીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો છે અને આરોપ લગાવ્યો છે કે, હત્યા કરનારવડીલ તેમની પુત્રીની છેડતી કરતો હતો.
આ વાત જાણીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા
જો કે, પાડોશીઓની પૂછપરછમાં પોલીસને આવા કોઈ પુરાવા મળ્યા નથી, પરંતુ જે નિર્દયતાથી વૃદ્ધને માર મારવામાં આવ્યો છે, તે પોલીસને પણ આશ્ચર્યચકિત કરે છે.કારણ કે ,જો યુવતીની છેડતી થઈ રહી હોય તો આરોપીએ પોલીસમાં ફરિયાદ કરવી જોઈતી હતી. આરોપી જેલમાં ગયા બાદ આ કારનામાની ચર્ચા દૂર દૂર સુધી થઈરહી છે.