Parlament Session: લોકસભામાં આજે રજુ થશે દિલ્હી સેવા વિધેયક, સદનમાં સત્ત અને વિરોધ પક્ષ વચ્ચે વિરોધનો અણસાર
દિલ્હી અધ્યાદેશ દ્વારા કેન્દ્ર સરકાર દિલ્હીમાં ગૃપ એ ના અધિકારીઓની બદલી અને અનુશાસનાત્મક કાર્યવાહીનો અધિકાર ઉપરાજ્યપાલને આપી દિધો છે. તેનો દિલ્હી સરકાર દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

કેન્દ્ર સરકાર લોકસભામાં આજે દિલ્હી સેવા વિધેયક રજુ કરશે. સંશોધિત કાર્ય સૂચી અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ વિધેયક સદનમાં રજુ કરશે. તો ગૃહ રા્ય મંત્રી નિત્યાનંદ રાય વિધેયક રજુ કરવાના કારણો પર નિવેદન આપશે.
આ વિધેયકના પાસ થયા બાદ બનનાર કાયદા દિલ્હી સેવા અધ્યાદેશનું સ્થાન લેશે. જેમા રાષ્ટ્રીય રાજધાનીમાં વરિષ્ઠ અધિકારીઓની નિયુક્તિ અને બદલી માટે પ્રાધિકરણ બનાવાનું પ્રાવધાન છે. રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર સંશોધન વિધેયક અનુસાર બદલી અે તૈનાતી દિલ્હી મુખ્યમંત્રીની અધ્યક્ષતા વાળી ત્રણ સબ્યોની કમેટી કરશે. તેમા મુખ્ય સચીવ અને પ્રધાન ગૃહ સચિવ સભ્ય હશે. સમિતિની સલાહ પર ઉપરાજ્યપાલ બદલી અને નિયુક્તિ કરશે.
કેન્દ્રીય મંત્રી મંડળે મંગળવારે 'રાષ્ટ્રીય રાજધાની દિલ્હી વિસ્તાર સરકાર સંશોધન વિધેયક' ને મંજુરી આપી દિધી છે. 9 મે ના કેન્દ્ર સરકાર દ્વારા લાવામાં આવેલ અધ્યાદેશની જગ્યા લેવા માટે રજુ કરવામાં આવશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાની વાળી આમ આદમી પાર્ટીની સરકાર અદ્યાદેશનો વિરોધ કરે છે. કોગ્રેસ અને અન્ય વિરોધ પક્ષ પણ આ અધ્યાદેશના વિરોધમ છે.












Click it and Unblock the Notifications
