મોદીનો દમઃ 25 રાજ્યોમાં 487 રેલીઓ સંબોધી
લખનઉ, 9 મેઃ દેશભરમાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી જનસભાઓ સંબોધી રહ્યાં છે. એક દિવસમાં તેઓ ચારથી પાંચ રેલી સંબોધીને દેશભરમાં ભાજપ તરફી માહોલ ઉભો કરવા તથા વધુમાં વધુ જનમેદની સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યાં છે. પરંતુ જો તમે તેમની આ રેલીઓનો આંકડો સાંભળશો તો ખરેખર ચોંકી જશે. જી હાં, આજે અમિત શાહે પત્રકાર પરિષદમાં મોદીએ દેશભરમાં કેટલી રેલીને સંબોધી છે, તે અંગેનો આંક રજૂ કર્યો હતો. એ આંક અનુસાર મોદીએ અત્યારસુધીમાં 25 રાજ્યોનો ચૂંટણી પ્રવાસ કર્યો છે અને 487 જેટલી રેલીઓને સંબોધી છે.

તેમણે કોંગ્રેસ, સપા અને બસપા પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ, સપા, બસપા એક થઇને ભાજપ સામે લડી રહ્યાં છે. આ લડાઇ મોદી વિરુદ્ધ બધાની થઇ ગઇ છે. જ્યારે પ્રિયંકા ગાંધી દ્વારા નિવેદન કરવામાં આવ્યા ત્યારે માયાવતી પ્રિયંકા ગાંધીના સમર્થનમાં આવ્યા હતા. જ્યાં કોંગ્રેસના કેટલાક ઉમેદવારોની સામે સપા દ્વારા પોતાના ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા નથી.
યુપીના માહોલ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, યુપીમાં ભાજપ અન્ય પાર્ટીઓ કરતા ઘણું આગળ છે. જે રીતે દેશમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર, મહિલા સુરક્ષા, રાષ્ટ્ર સુરક્ષાના મુદ્દા મહત્વના છે, તેવી જ રીતે યુપીમાં પણ આ મુદ્દા સૌથી વધારે મહત્વ ધરાવી રહ્યાં છે. યુપીમાં રાજ્ય અને કેન્દ્ર વિરોધી લહેર જોવા મળી રહી છે. દરેક સમુદાયનું ભાજપને સમર્થન છે. યુપી એકજૂટ થઇને ભાજપને જીતાડવામાં લાગી ગયું છે.
ચૂંટણી પંચ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે, હું પહેલા પણ કહી ચૂક્યો છું અને અત્યારે પણ કહું છુંકે યુપીમાં બૂથોની સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી જોઇએ. કેટલાક બૂથો પર સુરક્ષા વ્યવસ્થા સારી નથી. વારાણસીના ડીએમને હટાવવાની માંગ અમે પહેલા પણ કરી હતી અને અત્યારે પણ કરી રહ્યાં છીએ. ચૂંટણી પંચ પોતાના દાયિત્વને લઇને ગંભીર નથી.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી









Click it and Unblock the Notifications
