પાકિસ્તાનના F-16ને તોડી પાડવા કેપ્ટન અભિનંદને ઉડાવેલ મિગ-21 થશે રિટાયર્ડ
લગભગ અઢી વર્ષ પહેલા ભારતીય વાયુસેનાએ જે રીતે સરહદ પાર કરીને પોતાની બહાદુરી બતાવી હતી તેને કોઈ ભૂલી શકે તેમ નથી. તમને યાદ હશે કે જ્યારે 27 ફેબ્રુઆરી 2019ના રોજ પાકિસ્તાની F-16 એરક્રાફ્ટે ભારતીય સીમામાં ઘૂસવાનો પ્રયાસ કર્ય
લગભગ અઢી વર્ષ પહેલા ભારતીય વાયુસેનાએ જે રીતે સરહદ પાર કરીને પોતાની બહાદુરી બતાવી હતી તેને કોઈ ભૂલી શકે તેમ નથી. તમને યાદ હશે કે જ્યારે 27 ફેબ્રુઆરી 2019ના રોજ પાકિસ્તાની F-16 એરક્રાફ્ટે ભારતીય સીમામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો અને તેનો પીછો ભારતીય લડાકુ વિમાનોએ એલઓસી પર કર્યો હતો, તે કોઈ ભૂલી શકે તેમ નથી. તે સમયે વિંગ કમાન્ડર તરીકે તૈનાત અભિનંદન વર્ધમાને જબરદસ્ત હિંમત દાખવીને પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને પાકિસ્તાની ફાઈટર પ્લેનને તોડી પાડ્યું હતું.

30 સપ્ટેમ્બરે 4 મિગ-21 થશે રિટાયર્ડ
અભિનંદન તે સમયે મિગ-21માં સવાર હતા અને તેમાંથી તેણે પાકિસ્તાનના એફ-16ને તોડી પાડ્યું હતું. હવે ભારતીય વાયુસેના આ એરક્રાફ્ટને રિટાયર કરવા જઈ રહી છે. વાયુસેના પાસે હવે કુલ ચાર મિગ-21 બચ્યા છે, જે ઘણા જૂના થઈ ગયા છે, હવે ભારતીય વાયુસેના તેને તેના કાફલામાંથી હટાવવા જઈ રહી છે. રિપોર્ટ અનુસાર, 30 સપ્ટેમ્બરે શ્રીનગર સ્થિત 51 સ્ક્વોડ્રન નિવૃત્ત થશે. તે જ સમયે, પાકીનું મિગ-21 2025 માં તબક્કાવાર રીતે નિવૃત્ત કરવામાં આવશે.

કેપ્ટન અભિનંદને બતાવ્યો હતો દમ
અભિનંદન હવે ગ્રુપ કમાન્ડરના પદ પર કામ કરી રહ્યા છે, તેમણે જે રીતે બહાદુરી અને હિંમત દાખવી હતી તેના માટે તેમને વીર ચક્ર એનાયત કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન અને ભારતના ફાઈટર એરક્રાફ્ટ વચ્ચેની આ ટક્કર 26 ફેબ્રુઆરી 2019ના રોજ PoKમાં જોવા મળી હતી. હકીકતમાં, પાકિસ્તાનના બાલાકોટમાં જે રીતે ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી, તેના બીજા જ દિવસે પાકિસ્તાને ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય વાયુસેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.

પુલવામાં ઘટના બાદ ભારતીય વાયુ સેનાએ આપ્યો હતો જવાબ
પુલવામામાં CRPF કેમ્પ પર આતંકીઓએ હુમલો કર્યો હતો, આ આત્મઘાતી હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા. જેના જવાબમાં ભારતીય સેનાએ કાર્યવાહી કરી અને પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા. ભારતીય સેનાની આ કાર્યવાહી સામે પાકિસ્તાની વાયુસેનાએ ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, જેનો ભારતીય વાયુસેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.

400 મિગ અકસ્માતનો શિકાર
તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં ઘણા મિગ-21 એરક્રાફ્ટ અકસ્માતનો ભોગ બન્યા છે. મિગ-21 એ ભારતીય વાયુસેનામાં સૌથી લાંબો સમય સેવા આપી છે. પરંતુ હવે તેની સુરક્ષાને જોતા એરફોર્સે તેને આગામી વર્ષોમાં નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો છે. એરફોર્સને વર્ષ 1963માં તેનું પહેલું મિગ-21 મળ્યું, તે સમયે સોવિયેત યુનિયનમાંથી 874 વેરિઅન્ટ લેવામાં આવ્યા હતા. છેલ્લા છ દાયકામાં 400થી વધુ મિગ-21 અકસ્માતોનો ભોગ બન્યા છે, જેમાં 200થી વધુ પાઈલટોએ જીવ ગુમાવ્યા છે. હવે વાયુસેના મિગ 21ની જગ્યાએ તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ જેવા સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટને સામેલ કરી રહી છે.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી






Click it and Unblock the Notifications
