Corona Vaccine : સરકારે 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે રસીકરણની તૈયારી શરૂ કરી!
દેશમાં હવે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે રસી ઉપલબ્ધ છે ત્યારે બાળકોની રસીની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. એક તરફ દેશમાં કોરોનાને નાબૂદ કરવા માટે યુદ્ધના ધોરણે રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.
દેશમાં હવે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે રસી ઉપલબ્ધ છે ત્યારે બાળકોની રસીની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. એક તરફ દેશમાં કોરોનાને નાબૂદ કરવા માટે યુદ્ધના ધોરણે રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. બીજી તરફ લોકો બાળકોની રસી માટે લાંબા સમયથી રાહ જોતા હતા ત્યારે ZyCoV-D ને 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે મંજૂરી આપવામાં આવી છે. આ રસી 12 વર્ષથી ઉપરના અને 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બનાવવામાં આવી છે.
હવે સરકારના રાષ્ટ્રીય સલાહકાર જૂથે બાળકોના રસીકરણને લગતી મોટી જાણકારી આપી છે. NTAGI ના વડા એન.કે. અરોરાએ જણાવ્યું હતું કે આ રસી પહેલા એ બાળકોને આપવામાં આવશે, જે પહેલાથી જ કોઈ ગંભીર રોગથી પીડિત છે. સીએનબીસી-ટીવી 18 ના અહેવાલ મુજબ એન કે અરોરાએ જણાવ્યું હતું કે પુખ્ત વયના લોકોને રસીકરણની પ્રાથમિકતા સાથે અમારું ધ્યાન બાળકોના રસીકરણ પર રહે છે, જે અંતર્ગત ગંભીર રીતે બીમાર બાળકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવશે.
રિપોર્ટ અનુસાર NTAGI એ વધુમાં જણાવ્યું હતું કે બાળકો માટે ભારત બાયોટેકની કોવેક્સિનને મંજૂરી આપવાની પ્રક્રિયા સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરના અંત સુધીમાં શરૂ થશે. અરોરાએ કહ્યું કે અમે સપ્ટેમ્બરથી દર મહિને 10 કરોડ કોવેક્સિન ડોઝનો અંદાજ લગાવી રહ્યા છીએ. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) એ શુક્રવારે ઝાયડસ કેડિલાની ત્રણ ડોઝની કોવિડ-19 ડીએનએ રસીને 12 વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકો માટે કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપી હતી.
બીજી તરફ કંપનીએ કહ્યું કે તે ZyCoV-D ની વાર્ષિક 100 મિલિયનથી 120 મિલિયન ડોઝ બનાવવાની યોજના ધરાવે છે અને રસીનો સ્ટોક કરવાનું શરૂ કર્યું છે. અમદાવાદ સ્થિત જેનરિક દવા ઉત્પાદક કેડિલા હેલ્થકેર લિમિટેડે 1 જુલાઈએ ZyCoV-D માટે પરવાનગી માટે અરજી કરી હતી, જેનું 28,000 થી વધુ સ્વયંસેવકો પર પરિક્ષણ કર્યુ હતુ અને 66.6 ટકા પરિણામ મળ્યુ હતું.