Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાત સરકારે ગિરનારના વિકાસ માટે 114 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક ફાળવણી કરી

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યાત્રાધામ વિકાસ બોર્ડની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના 22 તીર્થસ્થાનોમાં કુલ 48 કરોડના વિવિધ વિકાસ કામોનું આયોજન રજુ કરાયુ હતુ.

આ બેઠકમાંથી જૂનાગઢ માટે એક સારા સમચાર આવ્યા છે. રાજ્ય સરકારે ગિરનારના વિવિધ વિકાસ કામો માટેની રૂપિયા 114 કરોડની વિકાસ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

Girnar

આ વિકાસ કામો અંતર્ગત ભવનાથ તળેટીનો વિકાસ તેમજ તળેટીથી લઈને ગોરખનાથ અને દત્તાત્રેયની ટૂંક સુધીના વિકાસ કાર્યો હાથ ધરાશે. યાત્રાધામ પાવાગઢની પેટર્ન પર જ બંને તરફ પાથ-વે ૩ મીટર પહોળો કરીને નવા જ પગથિયાનું વિસ્તૃતિકરણ કરવામાં આવશે.

આ બેઠકમાં ગિરનાર પર્વત પર તળેટીથી દત્તાત્રેય ટૂંક સુધી સમગ્ર પાયાની સુવિધાઓ ઉભી કરવા તેમજ ગિરનાર પર પાણી, વીજળીની વ્યવસ્થા હાથ ધરવા પણ આ વિકાસ યોજના અન્વયે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.

આ બેઠકમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા દરખાસ્ત રજુ કરવામાં આવી કે, રાજ્યના નાના-મોટા કુલ 22 તીર્થધામોમાં કુલ 48 કરોડ રૂપિયાના ખર્ચે જીર્ણોદ્વાર, મરામત અને પાયાની સુવિધાના વિકાસ કામો હાથ ધરવામાં આવે. સરકારે આ તમામ દરખાસ્તોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આ બેઠકમાં આગામી ભાદરવી પૂનમના લોકમેળામાં યાત્રિકોને કોઈ અગવડતા ન પડે તેવા સુદૃઢ આયોજન માટે સંબંધિત સૂચનાઓ પણ આપી. આ સિવાય બેઠકમાં સ્વચ્છતા ભાર મુકીને યાત્રિકોને સ્વચ્છતા જાળવવા પ્રેરિત કરવા મુદ્દે પણ ચર્ચા કરાઈ હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X