ગુજરાત સરકારે ગિરનારના વિકાસ માટે 114 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક ફાળવણી કરી

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યાત્રાધામ વિકાસ બોર્ડની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના 22 તીર્થસ્થાનોમાં કુલ 48 કરોડના વિવિધ વિકાસ કામોનું આયોજન રજુ કરાયુ હતુ.

આ બેઠકમાંથી જૂનાગઢ માટે એક સારા સમચાર આવ્યા છે. રાજ્ય સરકારે ગિરનારના વિવિધ વિકાસ કામો માટેની રૂપિયા 114 કરોડની વિકાસ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

Girnar

આ વિકાસ કામો અંતર્ગત ભવનાથ તળેટીનો વિકાસ તેમજ તળેટીથી લઈને ગોરખનાથ અને દત્તાત્રેયની ટૂંક સુધીના વિકાસ કાર્યો હાથ ધરાશે. યાત્રાધામ પાવાગઢની પેટર્ન પર જ બંને તરફ પાથ-વે ૩ મીટર પહોળો કરીને નવા જ પગથિયાનું વિસ્તૃતિકરણ કરવામાં આવશે.

આ બેઠકમાં ગિરનાર પર્વત પર તળેટીથી દત્તાત્રેય ટૂંક સુધી સમગ્ર પાયાની સુવિધાઓ ઉભી કરવા તેમજ ગિરનાર પર પાણી, વીજળીની વ્યવસ્થા હાથ ધરવા પણ આ વિકાસ યોજના અન્વયે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.

આ બેઠકમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા દરખાસ્ત રજુ કરવામાં આવી કે, રાજ્યના નાના-મોટા કુલ 22 તીર્થધામોમાં કુલ 48 કરોડ રૂપિયાના ખર્ચે જીર્ણોદ્વાર, મરામત અને પાયાની સુવિધાના વિકાસ કામો હાથ ધરવામાં આવે. સરકારે આ તમામ દરખાસ્તોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આ બેઠકમાં આગામી ભાદરવી પૂનમના લોકમેળામાં યાત્રિકોને કોઈ અગવડતા ન પડે તેવા સુદૃઢ આયોજન માટે સંબંધિત સૂચનાઓ પણ આપી. આ સિવાય બેઠકમાં સ્વચ્છતા ભાર મુકીને યાત્રિકોને સ્વચ્છતા જાળવવા પ્રેરિત કરવા મુદ્દે પણ ચર્ચા કરાઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X