થાણેમાં મકાન ધરાશાયી, મકાનમાલિક કાટમાળ નીચે દટાયા
મહારાષ્ટ્રના થાણેમાં મકાન ધરાશાયી થતાં એક મહિલાનું મોત થયું છે. આ ઘટના થાણેના શિલફાટાના વેતાલ પાડા પાસેના દેસાઈ ગામમાં બની હતી.
થાણે : મહારાષ્ટ્રના થાણેમાં મકાન ધરાશાયી થતાં એક મહિલાનું મોત થયું છે. આ ઘટના થાણેના શિલફાટાના વેતાલ પાડા પાસેના દેસાઈ ગામમાં બની હતી. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને માહિતી આપી છે કે, દુર્ઘટના બાદ આરડીએમસી, ટીડીઆરએફ, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલુ છે.
અત્યાર સુધી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. જેની ઓળખ સપના વિનોદ પાટીલ તરીકે થઈ છે, જે આ ઘરમાં રહેતી હતી. મૃતદેહ દાયઘર પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
મળતી માહિતી મુજબ આ ઘટના આજે સવારે લગભગ 11.30 કલાકે બની હતી. આરડીએમસીના ચીફ સંતોષ કદમે જણાવ્યું છે કે, ઘરમાં આગ લાગી હતી, જે બાદ માળખું તૂટી પડ્યું હતું. ઘર ઘણું જૂનું અને જર્જરિત હાલતમાં હતું. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન મૃતક સપના પાટીલની લાશને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવી હતી, જે દટાઈ ગઈ હતી અને તેને બહાર કાઢવામાં આવી ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. રેસ્ક્યુ ટીમે બચાવ કામગીરી પૂર્ણ કરી લીધી છે અને સ્થિતિ નિયંત્રણમાં છે.