ક્વોરન્ટાઈનને લઈને કેરળ સરકાર સખ્ત, ઉલ્લંઘન કરનારા સામે કાર્યવાહી કરશે!
ભલે દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ કેરળમાં પરિસ્થિતિ ફરી એક વખત બગડી રહી છે. કેરળમાં દરરોજ ત્રીસ હજારથી વધુ નવા કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. આ સ્થિતિમાં કેરળ સરકારે રાજ્યમાં સખ્તાઈ વધારી છે.
ભલે દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ કેરળમાં પરિસ્થિતિ ફરી એક વખત બગડી રહી છે. કેરળમાં દરરોજ ત્રીસ હજારથી વધુ નવા કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. આ સ્થિતિમાં કેરળ સરકારે રાજ્યમાં સખ્તાઈ વધારી છે. કેરળ સરકારે કવોરન્ટાઈન અંગે નવી માર્ગદર્શિકા જારી કરી છે. આ સાથે સરકારે કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે.

શુક્રવારે કેરળ સરકારે જારી કરેલા આદેશ અનુસાર, ક્વોરન્ટાઈનના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, કેરળ સ્ટેટ એપિડેમિક એક્ટ અને અન્ય સંબંધિત કાનૂની જોગવાઈઓનો અમલ કરવામાં આવશે. રેપિડ રિસ્પોન્સ ટીમ, વોર્ડ-લેવલ કમિટીઓ, પડોશી જૂથો અને પોલીસ, મહેસૂલ, આરોગ્ય અને સ્થાનિક સ્વ-સરકારી વિભાગોના સંબંધિત અધિકારીઓને નિર્દેશો આપ્યા છે કે ધોરણોનું ચુસ્તપણે પાલન થાય.
નિવેદનમાં જણાવાયું છે કે, ઉપરોક્ત એજન્સીઓ આવા ક્વોરેન્ટાઈન વ્યક્તિઓને આવશ્યક ચીજવસ્તુઓની હોમ ડિલિવરી આપવામાં પણ મદદ કરશે, જો તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે. સરકારે કહ્યું છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, કેરળ સ્ટેટ એપિડેમિક એક્ટ અને અન્ય સંબંધિત કાનૂની જોગવાઈઓ હેઠળ ક્વોરેન્ટાઈનના ધોરણોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ સામે કાર્યવાહી કરવામાં આવશે.
છેલ્લા 24 કલાકમાં કેરળમાં 29,322 નવા કોરોના કેસ અને 131 લોકોના મોત થયા છે. આ સમયગાળામાં 22,938 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા વધીને 21,280 થઈ ગઈ. તે જ સમયે, રાજ્યમાં કોરોથી 38,83,186 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. હાલમાં, રાજ્યમાં કુલ કોરોનાના 2,46,437 સક્રિય કેસ છે. રાજ્યનો કોરોના પોઝિટિવિટી રેટ 17.91%છે. છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 1,63,691 લોકોના COVID ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
કોરોનાના ઝડપથી વધી રહેલા કેસની વચ્ચે આજે, સુપ્રીમ કોર્ટે 6 સપ્ટેમ્બરથી કેરળમાં શરૂ થતી 11 મી ઓફલાઇન પરીક્ષા યોજવાના રાજ્ય સરકારના નિર્ણય પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દેશમાં કોરોના વાયરસના કુલ કેસોમાંથી 70 ટકા કેરળમાં છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ ઉંમરના બાળકોને જોખમમાં ના મૂકી શકાય. આ વર્ષે સપ્ટેમ્બરમાં યોજાનારી ઓફલાઇન પરીક્ષા લેવા માટે રાજ્ય સરકારે વર્તમાન પરિસ્થિતિ પર ગંભીરતાથી વિચાર કર્યો નથી.
સુપ્રીમ કોર્ટે આ મામલે આગામી સુનાવણી માટે 13 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી છે. અગાઉ, કેરળ હાઇકોર્ટે કહ્યું હતું કે પરીક્ષા યોજવી એ સરકારની નીતિની બાબત છે અને તેમાં દખલગીરી ઇચ્છિત નથી. સુપ્રીમ કોર્ટે એડવોકેટ રસૂલશાન એ દ્વારા કરવામાં આવેલી અપીલ પર આ આદેશ કર્યો હતો, જેમણે ઓફલાઇન પરીક્ષાઓ લેવાના નિર્ણયમાં દખલ કરવાનો ઇન્કાર કરવાના હાઇકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
