અપહરણ અને હત્યાની કોશિશ મામલે મંત્રીના દીકરાની ધરપકડ
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલના 26 વર્ષના દીકરા પ્રબલ પટેલ સહીત 7 લોકોની મંગળવારે અપહરણ અને હત્યાના આરોપમાં ધરપકડ કરી છે.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલના 26 વર્ષના દીકરા પ્રબલ પટેલ સહીત 7 લોકોની મંગળવારે અપહરણ અને હત્યાના આરોપમાં ધરપકડ કરી છે. આ મામલે મધ્યપ્રદેશની નરસિંહપુર પોલીસે કાર્યવાહી કરી છે. આપને જણાવી દઈએ કે પ્રહલાદ પટેલ મધ્યપ્રદેશના ભાજપના વરિષ્ઠ નેતાઓમાં આવે છે અને દમોહથી સાંસદ પણ છે. હાલમાં જ તેમને કેબિનેટમાં પર્યટન રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) તરીકે શામિલ કર્યા છે.

એસપી ગુરૂકરણ સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે પ્રબલ અને મોનુ પટેલ (27) સહીત 12 આરોપીઓ સામે આઇપીસી ધારા 307 અને ધારા 365 અને બીજી સંબંધિત ધારાઓમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે સોમવારે રાત્રે પ્રબલ, મોનુ પટેલ સહીત લગભગ 2 ડઝન લોકોનો બેલહાઇ બજારમાં 3-4 લોકો સાથે વિવાદ થઇ ગયો.
આ પણ વાંચો: 15 ભ્રષ્ટ ઑફિસરને મોદી સરકારે જબરદસ્તી રિટાયર કરાવી દીધા
આ દરમિયાન આરોપીએ યુવકો સાથે મારપીટ કરવાની સાથે સાથે ગોળી પણ ચલાવી, જે હિમાંશુ રાઠોડ નામના યુવકના હાથમાં વાગી. અહીં મુખ્ય આરોપી પ્રબલ અંગે ખબર પડી કે તે દમોહ સાંસદ પ્રહલાદ પટેલનો દીકરો છે. એટલું જ નહીં પરંતુ મોનુ પટેલ પણ પ્રહલાદના નાના ભાઈ ઝાલમ સિંહ પટેલનો દીકરો છે. આપને જણાવી દઈએ કે ઝાલમ સિંહ પટેલ પણ ભાજપ સરકારમાં મંત્રી છે અને નરસિંહપુર વિધાનસભા સીટથી વિધાયક છે. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે. બધા જ ઘાયલોને ઉપચાર માટે જબલપુરમાં રેફર કરવામાં આવ્યા છે. પોલીસ અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે પીડિત યુવકોને જબરજસ્તી મોનુ પટેલની ઓફિસ લઇ જવામાં આવ્યા, જ્યાં તેમની સાથે મારપીટ કરવામાં આવી.
આ પણ વાંચો: ઓવૈસીના શપથ ગ્રહણ કરતી વખતે લાગ્યા 'જય શ્રી રામ'ના નારા, તો સાંસદે કહી આ વાત
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
