મહારાષ્ટ્રમાં 'ડેલ્ટા પ્લસ' કેસમાં થયો અધધ વધારો
કોરોના વાયરસના 'ડેલ્ટા પ્લસ' વેરિઅન્ટના કારણે સરકારની ચિંતા વધી છે. મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 27 નવા કેસ મળી આવ્યા છે.
મહારાષ્ટ્ર : કોરોનાની ત્રીજી તરંગની સંભાવના અંગે મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું છે કે, જો રાજ્યમાં રોગચાળાની નવી લહેર આવે છે, તો તે તેનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. જો કે, કોરોના વાયરસના 'ડેલ્ટા પ્લસ' વેરિઅન્ટના વધતા જતા કેસને કારણે રાજ્ય સરકારની ચિંતા વધી છે. મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 27 નવા કેસ મળી આવ્યા છે, ત્યારબાદ આ વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 103 થઈ ગઈ છે.
આ 27 નવા કેસમાંથ ગઢચિરોલી અને અમરાવતીમાં 6 કેસ, 5 કેસ નાગપુરમાં, 4 કેસ અહમદનગરમાં, 3 કેસ યવતમાલમાં, 2 કેસ નાસિકમાં અને ભંડારા જિલ્લામાં એક કેસ મળી આવ્યો છે.

આ અગાઉ રવિવારના રોજ જાહેર કરવામાં આવેલી અખબારી યાદીમાં BMCએ જણાવ્યું હતું કે, મુંબઇમાં રિપોર્ટ માટે મોકલવામાં આવેલા 188 સેમ્પલમાંથી 128ની અંદર ડેલ્ટા વેરિએન્ટ મળી આવ્યું છે. આલ્ફા વેરિએન્ટના 2 કેસ અને કપ્પા વેરિએન્ટના 24 કેસ પણ મળી આવ્યા છે. કોરોનાનું ડેલ્ટા વેરિઅન્ટ દેશમાં કોરોના વાયરસની બીજી લહેર માટે જવાબદાર હોવાનું સામે આવ્યું છે.
કસ્તુરબા હોસ્પિટલમાં જીનોમ સિક્વન્સીંગ લેબની સ્થાપના
BMC એ ચિંચપોકલી વિસ્તારમાં આવેલી કસ્તુરબા હોસ્પિટલમાં નવી જીનોમ સિક્વન્સિંગ લેબની સ્થાપના કરી છે. 4 ઓગસ્ટના રોજ આ લેબના ઉદ્ઘાટન બાદ BMC એ પ્રથમ વખત અહીં કોરોના સેમ્પલનું જીનોમ સિક્વન્સિંગ કર્યું છે. BMC અનુસાર આ લેબમાં એક સમયે 384 સેમ્પલના રિપોર્ટ કરી શકાય છે અને તે સેમ્પલનું પરિણામ ચાર દિવસમાં આપી શકાય છે.
મુંબઈમાં કોરોનાના 225 નવા કેસ નોંધાયા
ઉલ્લેખનીય છે કે, સોમવારના રોજ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 3,643 નવા કેસ મળી આવ્યા હતા, જેમાંથી 225 દર્દીઓ મુંબઈમાં નોંધાયા હતા. મુંબઈમાં કોરોનાને કારણે 4 લોકોના મોત પણ થયા હતા. મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ સોમવારના રોજ નિવેદન આપ્યું હતું કે, રાજ્ય સરકાર કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
