For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

"જે મુલાયમની સાથે રહેશે એ જેલભેગો જ થશે"

|
Google Oneindia Gujarati News

beni prasad yadav
નવી દિલ્હી, 22 માર્ચ: કેન્દ્રીય સ્ટીલ મંત્રી બેની પ્રસાદ વર્માએ એકવાર ફરી સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમસિંહ યાદવ પર વિવાદાસ્પદ નિવેદન આપી દીધું છે. ઇ.સ 1993ના મુંબઇ બોમ્બ બ્લાસ્ટના કેસમાં સંજય દત્તને સુપ્રીમ કોર્ટમાં 5 વર્ષની સજા સંભળાવ્યા બાદ બેની પ્રસાદે જણાવ્યું કે મુલાયમની સાથે રહેશે તેનો આવો જ હાલ થશે.

ગુરુવારે સંજય દત્તની સજા પર જ્યારે મીડિયાએ બેની પ્રસાદ વર્માની પ્રતિક્રિયા લીધી તો તેમણે જણાવ્યું કે, 'જે મુલાયમની સાથે રહેશે તે જવાનો' ઉલ્લેખનીય છે કે એક સમયે સંજય દત્ત મુલાયમસિંહની ઘણી નજીક રહ્યા હતા, તેમણે 2009માં લોકસભા ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટીમાં સામેલ થયા હતા અને પાર્ટીએ તેમને લખનઉથી ઉમેદવાર પણ બનાવવામાં આવ્યા હતા.

જોકે કોર્ટે તેમને ચૂંટણી લડવાની પરવાનગી આપી ન્હોતી, અને અમર સિંહે સમાજવાદી પાર્ટી છોડ્યા બાદ સંજય દત્તે પણ રાજનીતિ છોડી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે હું અમરસિંહના કારણે રાજનીતિમાં જોડાયો હતો.

English summary
the person will go in jail who support to samajwadi party, hit by Beni Prasad Verma again.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X