MPમાં વધ્યું રાજકિય નાટક, હવે કમ્પ્યૂટર બાબા બોલ્યા- તેમની પાસે ભાજપના 4 ધારાસભ્ય
MPમાં વધ્યું રાજકિય નાટક, હવે કમ્પ્યૂટર બાબા બોલ્યા- તેમની પાસે ભાજપના 4 ધારાસભ્ય
ઈન્દોરઃ કર્ણાટકમાં ધારાસભ્યો બાગી થયા બાદ હવે મધ્ય પ્રદેશની રાજનીતિમાં ઉલટફેર જોવા મળી રહ્યો છે. મધ્ય પ્રદેશમાં ભાજપના 2 ધારાસભ્યો નારાયણ ત્રિપાઠી અને શરદ કોલે કોંગ્રેસ સરકારને સમર્થન આપી દીધું હતું. જે બાદ હવે કમ્પ્યૂટર બાબાનો નવો દાવો સામે આવ્યો છે. કમ્પ્યૂટર બાબાએ કહ્યું કે ભાજપના ચાર ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. જ્યારે યોગ્ય સમય હશે તો હું તેમને સૌની સામે રજૂ કરીશ. જણાવી દઈએ કે કમલનાથ સરકારમાં કમ્પ્યૂટર બાબાને મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે.

કમ્પ્યૂટર બાબાએ કહ્યું કે જ્યારે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ મને જણાવશે, હું ભાજપના ચાર ધારાસભ્યોને સૌની સામે રજૂ કરીશ. કમ્પ્યૂટર બાબાએ કહ્યું કે ભાજપના ચાર ધારાસભ્યો મારા સંપર્કમાં છે અને ઉમ્મીદ કરી રહ્યા છે કે તેમને સરકારમાં સામેલ કરવામાં આવે. જણાવી દઈએ કે બુધવારે મધ્ય પ્રદેશ વિધાનસભામાં એક ધારાસભ્ય પર મત વિભાજન દરમિયાન ભાજપના બંને ધારાસભ્યોએ રાજ્યમાં કોંગ્રેસની કમલનાથ સરકારને પોતાનું સમર્થન આપી દીધું.
જણાવી દઈએ કે નારાયણ ત્રિપાઠી અને શરદ કોલે પોતાના આવાસ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુરેશ પચૌરી સાથે મુલાકાત કરી. જો કે બંને ધારાસભ્યોએ હજુ સુધી ભાજપથી રાજીનામું આપ્યું નથી. વિધાનસભામાં બુધવારે કમલનાથ સરકારના એક બિલના પક્ષમાં વોટિંગ કરનાર બંને ધારાસભ્યોને અજ્ઞાત સ્થળ પર મોકલી આપ્યા છે. સરકારના બિલના સમર્થનમાં વોટ આપ્યા બાદ જ્યાં નારાયણ ત્રિપાઠીએ ભાજપની આલોચના કરી. તેમણે કહ્યું કે ભાજપ સતત જૂઠા વાયદા કરી ખુદનો પ્રચાર કરતું રહ્યું છે. બુધવારે અહેવાલ પણ આવ્યા કે બુધવારે ભાજપના આ બંને બાગી ધારાસભ્ય કલમનાથ સરકારના ભોજમાં પણ સામેલ થનાર છે.
Computer Baba, in Indore, MP: Four MLAs (BJP MLAs) are in contact with me, when the time is right I'll present them before everyone. When CM Kamal Nath tells me, I'll present them before all. They (4 BJP MLAs) are in contact with me & are expecting that they be included in govt. pic.twitter.com/z0KtHi2Cj9
— ANI (@ANI) July 25, 2019
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
