ગેરકાયદે બાંધકામને લઈને પંજાબ સરકાર સખ્ત, આ મોટો આદેશ જાહેર કર્યો
પંજાબ સરકારે તમામ કોલોનીઓને 6 મહિનામાં દસ્તાવેજ રજુ કરવા અને ફી ભરવા જણાવ્યુ છે. આમ નહીં કરનારા સામે કાર્યવાહી કરાશે.
ચંદીગઢ : પંજાબમાં ભગવંત માન સરકાર સતત મોટા સુધારા કરતા જોવા મળી રહ્યા છે. હવે પંજાબ સરકારે રાજ્યમાં ગેરકાયદે બાંધકામને રોકવા કાર્યવાહી શરૂ કરી છે. મળતી વિગતો અનુસાર, પંજાબમાં સ્થાનિક પ્રશાસન અંતર્ગત આવતી ગેરકાયદે કોલોની અને પ્લોટને લઈને મોટી એક્શનની તૈયારી શરૂ કરી છે.

પંજાબમાં આ પહેલા પણ આવી કોલોનીઓ અને પ્લોટને કાયદેસર કરવા કાર્યવાહી થઈ છે પરંતું કોઈ ચોક્કસ પરિણામ મળ્યુ નથી. આગળની સરકારોએ આ કોલોની અને પ્લોટને કાયદેસર કરવા માટે સમય આપ્યો હતો. જો કે તેનો અમલ થયો નથી. મળતા આંકડા મુજબ, પંજાબમાં સ્થાનિક પ્રશાસન અંતર્ગત 6 હજારથી વધુ ગેરકાયદે કોલોનીઓ બનેલી છે.
આ તમામ કોલોનીઓને કાયદેસર કરવા માટે હવે પંજાબ સરકારે મોટી કાર્યવાહી કરી છે. પંજાબ સરકારે આ તમામ કોલોનીને કાયદેસર કરવા માટે 6 મહિનામાં દસ્તાવેજ અને ફી જમા કરાવવા આદેશ કર્યો છે. આ બાબતે વાત કરતા મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, 6 માસ પૂર્ણ થયા બાદ ગેરકાયદે બાંધકામો પર કડક કાર્યવાહી કરાશે અને તેને કોઈપણ રીતે બક્ષવામાં નહીં આવે.
અહીં તમને જણાવી દઈએ કે, પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર સતત એક પછી એક મોટા પગલા લઈ રહી છે. આ પહેલા પણ પંજાબ સરકાર ઘણા મોટા સુધારા કરી ચુકી છે.












Click it and Unblock the Notifications
