સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજથી, હંગામાના અણસાર, અમિત શાહના રાજીનામાની માંગ
સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે. એવા સમાચાર છે કે કોંગ્રેસ, દિલ્લી હિંસા મામલો સંસદમાં પૂરશોરથી ઉઠાવીને ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરવાની છે.
સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે. એવા સમાચાર છે કે કોંગ્રેસ, દિલ્લી હિંસા મામલો સંસદમાં પૂરશોરથી ઉઠાવીને ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરવાની છે અને એટલા માટે તે સંસદના બંને ગૃહોમાં સોમવારે કાર્યસ્થગિત કરવાના પ્રસ્તાવની નોટિસ આપીને દિલ્લી હિંસા મુદ્દે ચર્ચા કરાવવાની માંગ કરી શકે છે. રવિવારે લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ પણ કહ્યુ કે પાર્ટી દિલ્લી હિંસાનો મુદ્દો સંસદમાં જોરશોરથી ઉઠાવશે.
તમને જણાવી દઈએ કે સંસદનાબજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે જ્યારે પહેલો તબક્કો 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી ચાલ્યો હતો. તમને જણાવી દઈએ કે દિલ્લી હિંસા માટે કોંગ્રેસ આમ પણ આક્રમક મૂડમાં છે. તે દિલ્લી પોલિસ દ્વારા કોગ્રેસ કેન્દ્રીય ગૃહમંત્રી પર નિશાન સાધી રહી છે અને તેમના રાજીનામાની માંગ કરી રહી છે. એમાં કોંગ્રેસ આજે બંને ગૃહોમાં કાર્યસ્થગિત કરવાનો પ્રસ્તાવ નોટિસ આપીને દિલ્લી હિંસા મુદ્દે ચર્ચા કરાવવી માંગ સંસદ સામે રાખી શકે છે.
તમને જણાવી દઈએ કે કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યુ કે દિલ્લીમાં રમખાણો ફેલાવનારા અને પોલિસ અધિકારીઓએ વચ્ચે મિલીભગત હોઈ શકે છે એટલા માટે આના પર જરૂર ચર્ચા થવી જોઈએ. આ સાથે જ કોંગ્રેસ દિલ્લી હિંસાની તપાસ સંસદની સમિતિમાં કરાવવાની માંગ કરી શકે છે.
આ પણ વાંચોઃ ભારત પર હુમલો થયો તો ઘરમાં ઘૂસીને મારશુંઃ અમિત શાહ