દિલ્હીના છાવલા ગેંગરેપ મામલે સુપ્રિમ કોર્ટમાથી મોટો ઝટકો, SC એ અરજી ફગાવી
દિલ્હીના છાવલા વિસ્તારમાં વર્ષ 2012 માં થયેલી એક સામૂહિક દુષ્કર્મ અને હત્યાનામામલે ત્રણ લોકોને છોડી મુકવામાં આવેલ અરજીની સમીક્ષાને રદ્દ કરવામાં આવ્યા બાદ સુપ્રિમ કોર્ટમાં પુનવ્રવિચાર અરજી પણ ફગાવી દેવામાં આવી છે. કોર્ટે મામલામાં આરોપીઓને ગયા વર્ષે નવેમ્બરમાં છોડવામાં આવ્યા છે. આ મામલે પુનર્વિચાર અરજી પર સુનવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે કહ્યુ કે, મામલમાં પુનર્વિચાર કરવા માટે કાયદો આદાર નથી.

છાવલા ગેંગરેપ મામલે સુપ્રિમ કોર્ટમા દિલ્હી પોલીસ માટે મોટો ઝટકો છે. અદાલતમાં મંગળવારે આ મામલે દાખલ કરવામાં આવેલ પૂનર્વિચાર અરજીને ફગાવામાં આવી છે. જણાવી દઇએ કે, છાવલા વિસ્તારમાં એક યુવતી સાથે ગેંગરેપ બાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી. ગયા વર્ષે 7 નવેમ્બરે આપવામાં આવેલ નિર્ણયમાં સુપ્રિમ કોર્ટે આ કેસમાં પોલીસની તપાસ અને ટ્રાયલ પર સવાલ ઉઠઆવતા શંકાનો લાભ આપીને દોષીતોને બરી કરી દેવામાં આવ્યા હતા.
પીડિત પરિવાર અને દિલ્હી પોલીસે ફાંસીની સજા મેળવેલ ત્રણેય દોષીતોને છોડવા માટે નિર્ણય પર પૂનર્વિચાર કરવાની માગ કરી હતી. અરજી પર કોર્ટે કહ્યુ કે, આ નિર્ણય પર કોઇ ખામી નથી. એટલા માટે પુનર્વિચારનો કોઇ ઓચિત્ય નથી.
છાવલા મામલે દોષિતોને નિચલી અદાલત અને ત્યર બાદ હાઇકોર્ટમાં આફસીની સજા થઇ ચૂકી છે. એવામાં પીડિત પરીવારે એક અરજી દાખલ કરીને દોષિતોને છોડોવામાં આવેલ તેને લઇને સુપ્રિમ કોર્ટમાં પુનર્વિચારની માગ કરવામાં આવી હતી. જેને સુપ્રિમ કોર્ટે ફગાવી દિધી છે. અરજી પર નિર્ણય આપતા ટોચની અદાલતે કહ્યુ ે, ઉપલબ્ધ રિકોર્ડને જોતા જામીનના નિર્ણય પર કોઇ ખામી નજર નથી આવી. એવામાં પુનર્વિચારની માગ વાળી અરજીને ફગાવી દેવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
