કલમ 370 પર સુપ્રીમ કોર્ટના ચુકાદાથી કેન્દ્ર સરકારના આ નિર્ણયો પર થઈ શકે છે અસર
Article 370: કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણય હેઠળ રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યો હતો. કેન્દ્ર સરકારનો આ નિર્ણય યોગ્ય હતો કે નહિ અને બંધારણીય રીતે તે માન્ય છે કે નહિ તે અંગે સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેન્ચ આજે પોતાનો ચુદાકો આપશે.
સુપ્રીમ કોર્ટ સવારે 11 વાગે કલમ 370 પર પોતાનો મહત્વપૂર્ણ ચૂકાદો આપશે, જેના પર સમગ્ર દેશની નજર રહેશે. સુપ્રીમ કોર્ટની બેંચનું નેતૃત્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ કરી રહ્યા છે, જ્યારે આ બેંચમાં જસ્ટિસ સંજય કિશન કૌલ, સંજીવ ખન્ના, બીઆર ગવઈ અને સૂર્યકાંતનો સમાવેશ થાય છે.

5 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે 16 દિવસની સુનાવણી બાદ આ મામલામાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટના નિર્ણયની અસર કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા ચાર વર્ષમાં લેવામાં આવેલા ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો પર પડી શકે છે. કલમ 370 જમ્મુ અને કાશ્મીરને વિશેષ અધિકારો પ્રદાન કરે છે જેના હેઠળ જમ્મુ અને કાશ્મીર પોતાનો કાયદો બનાવી શકે છે, કેન્દ્રને તે કરવાનો અધિકાર નથી. કલમ 370 હેઠળ, જમ્મુ અને કાશ્મીર નાણાં, સંરક્ષણ અને વિદેશી બાબતો સિવાય પોતાના કાયદા બનાવી શકે છે.
કલમ 370 હેઠળ આવતી કલમ 35Aને 1954માં રાષ્ટ્રપતિના આદેશથી સામેલ કરવામાં આવી હતી. આ અંતર્ગત જમ્મુ-કાશ્મીરને તે નક્કી કરવાનો અધિકાર હતો કે જમ્મુ-કાશ્મીરનો સ્થાયી નાગરિક કોણ છે. આ બહારના લોકોને અહીં સ્થાયી થવાથી સંપૂર્ણપણે અટકાવી શકે છે. જમીન ખરીદવા પર પ્રતિબંધ લાગી શકે છે, રાજ્ય બહારના લોકોને અહીં સરકારી નોકરી મેળવવા પર પ્રતિબંધ લગાવી શકાય છે. પરંતુ આ પણ 5 ઓગસ્ટ 2019ના રોજ નાબૂદ કરવામાં આવ્યું હતું.
કલમ 370 નાબૂદ કર્યા પછી, કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દીધું. એકમાં લદ્દાખ અને બીજામાં જમ્મુ અને કાશ્મીર. લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યુ, જ્યાં વિધાનસભા નહીં હોય, જ્યારે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા હશે. બંને કેન્દ્રશાસિત પ્રદેશો હશે જેનો વહીવટ કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત એલજી દ્વારા ચલાવવામાં આવશે.
5 ઓગસ્ટ 2019ના નિર્ણય પછી, જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી બહારના લોકો માટે ખુલ્લી થઈ ગઈ છે જેઓ અહીંના કાયમી નાગરિક નથી. કોઈપણ ભારતીય નાગરિકને અહીં મત આપવાનો અધિકાર છે અને તે અહીં વિધાનસભા ચૂંટણી, પંચાયત અથવા નાગરિક ચૂંટણી લડી શકે છે.
જો કે તે એક સામાન્ય નાગરિકની લાયકાતને પરિપૂર્ણ કરતો હોવો જોઈએ. આ સાથે જમ્મુ-કાશ્મીરમાં પશ્ચિમ પાકિસ્તાનના શરણાર્થીઓ માટે 70 વર્ષ બાદ મતદાનનો માર્ગ ખુલી ગયો છે. આ લોકો જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે મતદાનમાં પણ ભાગ લઈ શકે છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
