ગુજરાત-રાજસ્થાન સરહદ પર કરોડોનો માલ લૂંટાયો
રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચીને ગુજરાત અને રાજસ્થાનની સરહદો પર અત્યાધુનિક ચેકપોસ્ટ બનાવવામાં આવી હતી. રાજ્યના શામળાજી, અંબાજી અને અમીરગઢમાં બનાવવામાં આવેલી આ ચેકપોસ્ટ્સ પર સીસીટીવી, કમ્પ્યુટર્
રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચીને ગુજરાત અને રાજસ્થાનની સરહદો પર અત્યાધુનિક ચેકપોસ્ટ બનાવવામાં આવી હતી. રાજ્યના શામળાજી, અંબાજી અને અમીરગઢમાં બનાવવામાં આવેલી આ ચેકપોસ્ટ્સ પર સીસીટીવી, કમ્પ્યુટર્સ, વાયર અને ટેબલ ખુરસી સહિતના અન્ય સાધનોની ખરીદી કરવામાં આવી હતી. જો કે દિવાળીના તહેવારોમાં આ ચેકપોસ્ટ બંદ થઇ જતા આ ચેકપોસ્ટ પર ગંઠિયાઓને હાથ ફેરો કરવાનો મોકો મળી ગયો હતો અને અહીંથી લાખો કરોડોના માલની ઉથાંતરી ગયા છે.

રાજ્ય સરકારે રાજસ્થાન અને ગુજરાતની સરહદ પર લગભગ 10 જેટલી ચેકપોસ્ટ બનાવી હતી. જ્યાંથી ટ્રાંસ્પોર્ટર વિવિધ પ્રકારના ઉપયોગી આહાર અને વિવિધ ચિજવસ્તુઓની હેરાફેરી કરતા હતા. કરચોરી સહિતની વિવિધ અસામાજિક પ્રવૃત્તિઓને નિયંત્રણમાં રાખવા માટે પોલીસ સહિત ખાનગી એજન્સીઓના સુરક્ષા ગાર્ડને આ ચેકપોસ્ટ્સ પર તૈનાત કરવામાં આવ્યા હતા. આ સુરક્ષા કર્મીઓ સતત 24 કલાક ડ્યૂટી પર રહી વિવિધ ગતિવિધિઓ પર ધ્યાન રાખતા હતા. તેમાથી રાજસ્થાન સરહદે શામળાજી, અંબાજી અને અમીરઢ ચેક ચેકપોસ્ટ સહિત લગભગ 10 ચેકપોસ્ટ છે. અહીં આ ચેકપોસ્ટ્સ પર સીસીટીવી કેમેરા, વાયર, ટેબલ, ખુરશીઓ અને કોમ્પ્યુટર મૂકવામાં આવ્યા હતા. જોકે આ ચોકીઓ બંધ કર્યા બાદ સિક્યુરિટી ગાર્ડને પણ હટાવવામાં આવ્યા હતા.
આરટીઓ સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી આ ચેકપોસ્ટોને બંધ કરી દીધી હતી અને. ચેકપોસ્ટની સુરક્ષા અંગે કોઇ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. આ ચેકપોસ્ટમાંથી સુરક્ષાકર્મીઓને હટાવ્યા બાદ કરોડો રૂપિયાના ફર્નિચર સહિતના આધુનિક સાધનોની ચોરી થઇ ગઇ છે તો બીજી તરફ આરટીઓ કર્મચારીઓ આ અંગે કંઇ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે. આ દરમિયાન ટ્રાન્સપોર્ટ કમિશનર રાજેશ મંજુએ કહ્યું કે આ સમગ્ર મામલો રાજ્ય સરકારમાં વિચારણા હેઠળ છે. આ અંગેની પરિસ્થિતિથી ટ્રાંસપોર્ટ સચિવને જાગૃત કરવાનો નિર્ણય લીધો છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.મહત્વનું છે કે આ ચોરીને અંજામ આપનારની ભાળ મળી નથ
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
