ઓડિશા ટ્રેન અકસ્માત પહેલા પણ ભારતમાં સર્જાઈ ચુકી છે આ મોટી રેલ દુર્ઘટનાઓ, જુઓ લિસ્ટ

ભારતીય રેલવેને અકસ્માતો સાથે જૂનો સંબંધ છે. ભારત આઝાદ થયો અને અંગ્રેજોના હાથમાંથી ટ્રેન ભારતીયોના હાથમાં આવી ત્યારથી સતત અકસ્માતો થતા રહ્યા છે. આજે અમે તમને ભારતના સૌથી મોટા રેલ અકસ્માતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

rail accident

બિહાર રેલ દુર્ઘટના
આઝાન ભારતની સૌથી મોટી રેલ દુર્ઘટનાઓમાં સામેલ આ અકસ્માતમાં 800 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. 6 જૂન 1981ના રોજ બિહારની બાગમતિ નદી પરથી ટ્રેન નદીમાં પડી હતી. આ ઘટના પાછળ બેદરકારી હોવાની વાત સામે આવી હતી.

ફિરોઝાબાદ રેલ દુર્ઘટના
20 ઓગસ્ટ 1995ના રોજ ફિરોજાબાદ પાસે એક પેસેન્જર ટ્રેન માલગાડી સાથે ટકરાઈ હતી. આ ઘટનામાં 250 થી વધુ લોકોના મોત થયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. આ ઘટના પાછળ એક સિગ્નલમેનની ભુલ સામે આવી હતી.

ગૈસલ ટ્રેન અકસ્માત
માત્ર માલગાડી જ નહીં ભુતકાલમાં બે પેસેન્જર ટ્રેન પણ સામસામે ટકરાઈ હતી. 1 ઓગસ્ટ 1999ના રોજ પશ્લિમ બંગાળના ગૈસલ પાસે થયેલી આવી જ એક ટક્કરથી 285 લોકોના મોત થયા હતા અને 312 લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત કોમ્યુનિકેશન ગેપને કારણે સર્જાયો હતો.

ખન્ના રેલ અકસ્માત
26 નવેમ્બર 1998 ના રોજ પંજાબના ખન્ના પાસે પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર થઈ હતી. આ ભયાનક ટક્કરથી 108 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ઘટનામાં પણ સિગ્નલમેનની ભુલ હોવાની વાત સામે આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X