યમુના એક્સપ્રેસ વે ઑથોરિટીની આસપાસ હજારો રોજગાર પૈદા થશે
ઉત્તર પ્રદેશ સરકારને આશા છે કે જેવી રીતે યુપીમાં મોટા પાયે રોકાણ આવ્યું છે તેનાથી નોઈડા, ગ્રેટર નોઈડા અને YEIDAમાં 6-6 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ વિકસિત થશે જેનાથી લોકોને રોજગાર મળશે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આગેવાનીમાં પહેલીવાર યૂપીમાં મોટા પાયે રોકાણ આવ્યું છે. યૂપીમાં આ વખતે થયેલ ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટમાં 33.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું હતું. કેટલીય વિદેશી કંપનીઓ પણ રોકાણ કરશે. યોગી સરકારની ઉદ્દેશ્ય રોકાણનો માહોલ બનાવી યુપીમાં રોજગારના અવસર પૈદા કરવાનો છે જેથી તેનો લાભ અહીંના લોકોને મળી શકે.
આ ઉદ્દેશ્યથી યમુના એક્સપ્રેસ વે ઘરેલૂ અને વિદેશી કંપનીઓને જમીન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ઉદ્દેશ્ય અનુરૂપ ઈડાના અધિકારી યમુના એક્સપ્રેસને પહેલે જ ફાયદામાં લાવી ચૂક્યા છે. હવે મોટો પડકાર રોજગારના અવસર ઉપલબ્ધ કરાવવાનો છે. એક્સપ્રેસ વે પાસે 16 કંપનીઓને જમીન ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેમાં મોટાભાગના ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલ છે.

આ કંપનીઓને યમુના એક્સપ્રેસ વે પાસે સેક્ટર સાતમાં 130 એકર જમીન ઉપલબ્ધ કરાવવામાં આવી છે જ્યાં આ કંપનીઓની યૂનિટ્સ ખોલવામાં આવશે. એકવાર આ કંપનીઓના કાર્યાલય ખુલ્યા બાદ આગામી સમયમાં સ્થાનિક યુપીના લોકોને આસાનીથી રોજગાર મળી શકશે.
આઇપીએફ નોઈડામાં 4 હજાર કરોડનું રોકાણ કરશે
યમુના એક્સપ્રેસ વે પાસે કાર્યાલય ખોલનારાઓમાં યૂકેની ઈન્ડિયન પાર્ટનરશિપ ફોરમે યૂપી સરકારના પ્રાધિકરણ YEIDA સાથે 4000 કરોડ રૂપિયાનો એક એમઓયૂ કર્યો છે. અધિકારીઓનું માનીએ તો આ MoU હાલમાં જ યુપીની રાજધાની લખનઉમાં યોજાયેલ ગ્લોબલ ઈનવેસ્ટર સમિટ દરમિયાન કરવામાં આવ્યો હતો.
આ એમઓયૂ આઈપીએફના ચેરમેન મોહન કૌલ અને YEIDAના મુખ્ય કાર્યકારી અધિકારી અને વરિષ્ઠ આઈએએસ અધિકારી અરુણવીર સિંહ સાથે થયો હતો. અરુણવીર સિંહની નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના ચેરમેન પણ છે.
નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસે 20 હજાર લોકોને રોજગાર મળશે
આ એમઓયૂ વિશે વાત કરતાં અરુણવીર સિંહે જણાવ્યું કે એક ઈનોવેશન સેન્ટર માટે એક ઓમઓયૂ કરવામાં આવ્યો હતો. આ સેન્ટર મુખ્યરૂપે દુનિયાભરમાં વસેલા ભારતીયો માટે કામ કરશે. આ ઈનોવેશન સેન્ટર ખુલ્યા બાદ લગભગ 20 હજાર લોકોને રોજગારના અવસર ઉપલબ્ધ થશે. આ ઉપરાંત પણ ઉમ્મીદ છે કે આગામી સમયમાં જાપાન, દક્ષિણ કોરિયા, સ્વીડન અને ડેનમાર્ક પણ અહીં મોટાપાયે રોકાણ કરશે. આ ઉપરાંત ઈન્ટરનેશનલ એરપોર્ટની આસપાસ મોટા પાયે આવાસીય પરિયોજનાઓ શરૂ થશે અને એક શ્રેષ્ઠતમ ટાઉનશિપ વિકસિત થશે.
કેટલીય નામી કંપનીઓ રોકાણ કરી રહી છે
YEIDA મુજબ આ ક્ષેત્રમાં કેટલાય પ્રકારના ઔદ્યોગિક ઝોન બનાવવામાં આવ્યા છે. જેમાં ઈલેક્ટ્રોનિક સિટી, એપેરલ પાર્ક, ફૂડ પાર્ક સામેલ છે. જેના માધ્યમથી અહીં રોકાણ આકર્ષિત થશે અને મોટા પાયે રોકાણ થશે. અહીં પર ઈલેક્ટ્રોનિક, ટેક્સટાઈલ અને ફૂડ પ્રોસેસિંગ સાથે જોડાયેલા રોજગાર પૈદા થશે. આ ઉપરાંત ઈડા તરફથી કોમર્શિયલ અને આવાસીય રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ પણ શરૂ કરાશે. જેના કારણે નિર્માણ ક્ષેત્ર સાથે જોડાયેલ પ્લેયર રોકાણ કરશે જેનાથી હજારો લોકો માટે રોજગારના અવસર ઉપલબ્ધ થશે. આ ઉપરાંત અહીં ફિલ્મ સિટી, મલ્ટી ડિવાઈસ પાર્ક અને રૉયલ હેરિટેજ સિટી જેવા પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવશે.
કંપનીઓ વિવિધ સેક્ટરમાં રોકાણ કરી રહી છે
ઈડાના અધિકારીઓનું માનીએ તો હાલમાં જ હીરાનંદાની ગ્રુપે આ ક્ષેત્રમાં સેમીકંડક્ટર પાર્કની સ્થાપના માટે 100 એકર જમીનની ડિમાન્ડ કરી છે. કંપનીની આ ડિમાંડ પર અધિકારી કા કરી રહ્યા છે. સ્માર્ટ ફોન નિર્માતા કંપની વિવો તરફથી પણ ગ્રેટર નોઈડામાં યમુના એક્સપ્રેસ વે પાસે સાત હજાર કરોડ રૂપિયાના રોકાણનું વચન આપવામાં આવ્યું છે. કંપનીના અધિકારીઓનું માનીએ તો આટલા મોટા પાયે રોકાણ કર્યા બાદ અહીં દસ હજાર લોકોને પ્રત્યક્ષ રૂપે રોજગાર મળશે. આ ઉપરાંત કેટલીય ભારતીય કંપનીઓ જેવી કે સૂર્યા ગ્લોબલ અને બીકાનેર ફૂડ્સ પણ યમુના એક્સપ્રેસ વે પાસે રોકાણ કરશે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
