બારાબંકીઃ સુરતથી જઈ રહેલા મજૂરોનો અકસ્માત, ત્રણના મોત 4 ઘાયલ
ઉત્તર પ્રદેશના બારાબંકીમાં ગુરુવારે મોડી રાતે રોડ અકસ્માત થયો. મોડી રાત્રે અઢી વાગ્યે 7 પ્રવાસી મજૂર એક દર્દનાક અકસ્માતનો શિકાર થઈ ગયા. આ ઘટનામાં બે મજૂરના ઘટના સ્થળે જ મોત થયા જ્યારે એકે બારાબંકી ટ્ર
બારાબંકીઃ ઉત્તર પ્રદેશના બારાબંકીમાં ગુરુવારે મોડી રાતે રોડ અકસ્માત થયો. મોડી રાત્રે અઢી વાગ્યે 7 પ્રવાસી મજૂર એક દર્દનાક અકસ્માતનો શિકાર થઈ ગયા. આ ઘટનામાં બે મજૂરના ઘટના સ્થળે જ મોત થયા જ્યારે એકે બારાબંકી ટ્રોમા સેન્ટરમાં ઈલાજ દરમિયાન દમ તોડી દીધો. જ્યારે અન્ય ચાર આરોપી પણ ગંભીર રૂપે ઘાયલ થઈ ગયા. ઘાયલોને ઈલાજ માટે લખનઉ ટ્રામા સેન્ટર રેફર કરી દેવામા આવ્યા છે. આ બધા મજૂર ગુજરાતના સુરતથી બહરાઈચ આવી રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ઘટના રામનગર તિરાહે પાસે બની છે, જ્યાં કોઈ અજાણ્યા વાહને આ લોકોને ઠોકર મારી દીધી હતી. મૃતકોમાં જગદીશ (38), ધર્મેન્દ્ર (27), મિહાજ અલી (33) અને જિતેન્દ્ર (30) સામેલ છે.

2 લોકોના ઘટના સ્થળે જ મોત
બારાબંકી ટ્રોમા સેન્ટરમાં તહેનાત ડૉક્ટર મુજબ મોડી રાતે તેમની પાસે સાત લોકોને ઈલાજ માટે લાવવામાં આવ્યા હતા, જેમાંથી 2 પહેલા જ મૃત્યુ પામી ચૂક્યા હતા. જેમાંથી પાચ લોકોનો ઈલાજ શરૂ કરાયો. ઈલાજ દરમિયાન સવારે એકનું નિધન થયું. જ્યારે બાકી ચાર ઘાયલોને લખનઉના ટ્રામા સેન્ટરમાં રેફ કરી દેવામાં આવ્યા છે. ડૉક્ટર મુજબ મૃતકો અને ઘાયલોને માથામા ઈજા પહોંચી હતી, જેને જોઈ તેમને કોઈએ ટક્કર મારી હોવાનું માનવામા આવી રહ્યું છે.
સરકારી મદદ ના મળવાનો આરોપ
મૃતકના ભાણેજ મનોજ કુમાર નિષાદે જણાવ્યું કે આ લોકો સૂરતમાં મજૂરી કામ કરતા હતા. લૉકડાઉનને પગલે આ બધા ત્યાં ફસાઈ ગયા હતા. આ બધા લોકો ટ્રકથી પોતાના વતન પરત આવી રહ્યા હતા અને કોઈ કામથી ત્યા રોકાયા હતા, ત્યારે જ આ લોકો ઘટનાનો શિકાર થઈ ગયા. આ લોકોને કોઈ અજાણ્યા વાહને ઠોકર મારી છે. મૃતકોના ભાણેજે આરોપ લગાવ્યો કે તેણે ખુદ બધા માટે ઑનલાઈન અપ્લાઈ કર્યું હતું પરંતુ કોઈને પણ સરકારી મદદ ના મળી.












Click it and Unblock the Notifications
