બારાબંકીઃ સુરતથી જઈ રહેલા મજૂરોનો અકસ્માત, ત્રણના મોત 4 ઘાયલ
ઉત્તર પ્રદેશના બારાબંકીમાં ગુરુવારે મોડી રાતે રોડ અકસ્માત થયો. મોડી રાત્રે અઢી વાગ્યે 7 પ્રવાસી મજૂર એક દર્દનાક અકસ્માતનો શિકાર થઈ ગયા. આ ઘટનામાં બે મજૂરના ઘટના સ્થળે જ મોત થયા જ્યારે એકે બારાબંકી ટ્ર
બારાબંકીઃ ઉત્તર પ્રદેશના બારાબંકીમાં ગુરુવારે મોડી રાતે રોડ અકસ્માત થયો. મોડી રાત્રે અઢી વાગ્યે 7 પ્રવાસી મજૂર એક દર્દનાક અકસ્માતનો શિકાર થઈ ગયા. આ ઘટનામાં બે મજૂરના ઘટના સ્થળે જ મોત થયા જ્યારે એકે બારાબંકી ટ્રોમા સેન્ટરમાં ઈલાજ દરમિયાન દમ તોડી દીધો. જ્યારે અન્ય ચાર આરોપી પણ ગંભીર રૂપે ઘાયલ થઈ ગયા. ઘાયલોને ઈલાજ માટે લખનઉ ટ્રામા સેન્ટર રેફર કરી દેવામા આવ્યા છે. આ બધા મજૂર ગુજરાતના સુરતથી બહરાઈચ આવી રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ઘટના રામનગર તિરાહે પાસે બની છે, જ્યાં કોઈ અજાણ્યા વાહને આ લોકોને ઠોકર મારી દીધી હતી. મૃતકોમાં જગદીશ (38), ધર્મેન્દ્ર (27), મિહાજ અલી (33) અને જિતેન્દ્ર (30) સામેલ છે.

2 લોકોના ઘટના સ્થળે જ મોત
બારાબંકી ટ્રોમા સેન્ટરમાં તહેનાત ડૉક્ટર મુજબ મોડી રાતે તેમની પાસે સાત લોકોને ઈલાજ માટે લાવવામાં આવ્યા હતા, જેમાંથી 2 પહેલા જ મૃત્યુ પામી ચૂક્યા હતા. જેમાંથી પાચ લોકોનો ઈલાજ શરૂ કરાયો. ઈલાજ દરમિયાન સવારે એકનું નિધન થયું. જ્યારે બાકી ચાર ઘાયલોને લખનઉના ટ્રામા સેન્ટરમાં રેફ કરી દેવામાં આવ્યા છે. ડૉક્ટર મુજબ મૃતકો અને ઘાયલોને માથામા ઈજા પહોંચી હતી, જેને જોઈ તેમને કોઈએ ટક્કર મારી હોવાનું માનવામા આવી રહ્યું છે.
સરકારી મદદ ના મળવાનો આરોપ
મૃતકના ભાણેજ મનોજ કુમાર નિષાદે જણાવ્યું કે આ લોકો સૂરતમાં મજૂરી કામ કરતા હતા. લૉકડાઉનને પગલે આ બધા ત્યાં ફસાઈ ગયા હતા. આ બધા લોકો ટ્રકથી પોતાના વતન પરત આવી રહ્યા હતા અને કોઈ કામથી ત્યા રોકાયા હતા, ત્યારે જ આ લોકો ઘટનાનો શિકાર થઈ ગયા. આ લોકોને કોઈ અજાણ્યા વાહને ઠોકર મારી છે. મૃતકોના ભાણેજે આરોપ લગાવ્યો કે તેણે ખુદ બધા માટે ઑનલાઈન અપ્લાઈ કર્યું હતું પરંતુ કોઈને પણ સરકારી મદદ ના મળી.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
