વંદે ભારત એક્સપ્રેસ પર વધુ એક વખત પથ્થરમારો, જાણો હવે ક્યાં બની ઘટના?
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના મેન્ટેનન્સ દરમિયાન પથ્થરમારો થયો છે. પથ્થરમારાને કારણે બારીના કાચ તૂટ્યા છે અને તંત્ર તપાસ કરી રહ્યું છે.
નવી દિલ્હી : વંદે ભારત ટ્રેન પર ફરીથી પથ્થરમારાની ઘટના સામે આવી છે. હાલમાં જ પશ્ચિમ બંગાળમાં ટ્રેન પર પથ્થરમારો થયા બાદ હવે ફરીથી નવી ઘટના સામે આવી છે. મળી રહેલી વિગતો અનુસાર આ ઘટના આધ્રપ્રદેશમાં બની છે.

વંદે ભારત ટ્રેન છેલ્લા કેટલાક દિવસોથી સતત અસામાજીક તત્વોની નજરે ચડી છે. એક પછી એક પથ્થરમારાની ઘટના સામે આવી રહી છે. મળી રહેલી વિગતો અનુસાર આ ઘટના આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ પાસે કાંચરાપલેમમાં બની છે. સૌથી મોટી વાત એ છે કે આ ટ્રેનના મેન્ટેનન્સ વખતે આ ઘટના ઘટી છે અને પીએમ મોદી તેને 19 જાન્યુઆરીએ લીલી ઝંડી દેખાડવાના છે.
Andhra Pradesh | Stones pelted on Vande Bharat train in Visakhapatnam which will be flagged off by PM Modi on Jan 19. Incident occurred during maintenance.
— ANI (@ANI) January 11, 2023
Glass pane of a coach of Vande Bharat express was damaged near Kancharapalem, Visakhapatnam. Further probe underway: DRM pic.twitter.com/JQLrHbwyJ4
એએનઆઈના અહેવાલ અનુસાર, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના મેન્ટેનન્સ દરમિયાન પથ્થરમારો થયો હતો. પથ્થરમારાને કારણે બારીના કાચ તૂટી ગયા હતા. આ બાબતે તંત્ર તપાસ કરી રહ્યું છે.
વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો હોય તેવી આ પહેલી ઘટના નથી. આ પહેલા 3 જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળમાં વંદે ભારત એક્સપ્રેસમાં પથ્થરમારો થયો હતો. આ ટ્રેન દાર્જિલિંગ જિલ્લાના ફાંસીદેવા વિસ્તારથી ન્યૂ જલપાઈગુડી તરફ જઈ રહી હતી. આ દરમિયાન કેટલાક અસામાજીક તત્વોએ પથ્થરમારો કરીને બારીના કાચ તોડ્યા હતા.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
