For Daily Alerts
ઠાકરેના મૃત્યુને પગલે મુંબઇમાં 20000 પોલીસ જવાનો તૈનાત
મહારાષ્ટ્ર પોલીસ હેડક્વાર્ટરના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર "સમગ્ર મહારાષ્ટ્રમાં પોલીસ એલર્ટ આપવામાં આવ્યું છે. ઠાકરેની અંતિમ યાત્રામાં અંદાજે 19 લાખ સમર્થકો અને ચાહકો આવશે. તેને ધ્યાનમાં રાખીને મુંબઇમાં 20,000 પોલીસ જવાનો તૈનાત કરાયા છે. આ ઉપરાંત સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની 15 કંપનીઓ, રેપિડ એક્શન ફોર્સની 3 કંપનીઓ પણ તૈનાત કરવામાં આવી છે."
સવારે 7 વાગે શરૂ થયેલી અંતિમ યાત્રાને ધ્યાનમાં રાખીને દાદરમાં આવેલા સેના ભવન, બાન્દ્રામાં આવેલા માતોશ્રી અને શિવાજી પાર્ક ખાતે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
English summary
Tight security across Maharashtra following Thackeray's death.
Story first published: Sunday, November 18, 2012, 11:18 [IST]