હવે આ જેલમાં મલાઈ ચાપ, છોલે ભટૂરે અને પાંવભાજી મળશે
તિહાડનાં કેદીઓને હવે જેલમાં સારું જમવાનું મળશે. જેલ પ્રશાશનને કેદીઓની માંગને ધ્યાનમાં રાખતા તેમના માટે વીકલી મેન્યુ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે
તિહાડનાં કેદીઓને હવે જેલમાં સારું જમવાનું મળશે. જેલ પ્રશાશનને કેદીઓની માંગને ધ્યાનમાં રાખતા તેમના માટે વીકલી મેન્યુ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે જેથી તેમને ખબર પડે કે તેમને શુ આપવામાં આવી રહ્યું છે. આ બદલાવ નવા વર્ષથી કરવામાં આવ્યો છે. હવે તિહાડનાં કેદીઓ જેલમાં મલાઈ ચાપ, છોલે ભટૂરે અને પાંવભાજી જેવી વાનગીઓ ખાઈ શકશે.

ખરેખર નાસ્તાના નામ પર પહેલા કેદીઓને ચા અને બે બિસ્કિટ આપવામાં આવતા હતા પરંતુ હવે તેમને નાસ્તામાં સારું ભોજન આપવામાં આવશે, જેથી કેદીઓ ભૂખ્યા ના રહે. ખરેખર કેદીઓ ઘ્વારા ફરિયાદ કરવામાં આવતી હતી કે તેમને જેલમાં સારું ભોજન નથી આપવામાં આવી રહ્યું. જેલ પ્રશાશને જણાવ્યું કે કેટલાક કેદીઓ સતત ફરિયાદ કરતા હતા કે ભોજન ટેસ્ટી નથી. જયારે જેલમાં કેદીઓના ભોજન અને તેમના સ્વાસ્થ્ય અંગે ધ્યાન રાખવામાં આવે છે.
તિહાડ જેલ પ્રશાશન ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ફરિયાદો પર ધ્યાન આપ્યા પછી ભોજનમાં કેટલીક વસ્તુઓ શામિલ કરવામાં આવી છે. જેલના ભોજનમાં દલિયા, મલાઈ ચાપ, પૈવા, બેડમાં-પુરી, છોલે ભટૂરે અને પાંવભાજી શામિલ કરવામાં આવ્યા છે. એવું પણ જણાવવામાં આવ્યું છે કે કેદીઓને જેલમાં અઠવાડિયામાં 2 વાર ખીર આપવામાં આવે છે.












Click it and Unblock the Notifications
