ટીપુ સુલ્તાન વિવાદ: AAP કહ્યું RSSમાં કોઇ સ્વતંત્રતા સેનાની હોય તો કહો
આમ આદમી પાર્ટી દ્વારા ટીપુ સુલ્તાનનો ફોટો દિલ્હી વિધાનસભામાં મૂકવા મામલે હવે વિવાદે જોર પકડ્યું છે. જાણો શું છે આખો મામલો અહીં
ગણતંત્ર દિવસના અવસર પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં 70 ચિત્રોનું અનાવરણ કર્યું. જેને લઇને હવે વિવાદ થઇ ગયો છે. ભારતીય જનતા પાર્ટીએ ટીપૂ સુલ્તાનના ફોટોને લઇને વિધાનસભામાં ચિત્ર લાગે તે વાત પસંદ નથી આવી. ત્યાં જ આમ આદમી પાર્ટીનું કહેવું છે કે આ ચિત્રોમાં ભારત નિર્માણ કરનાર અને સ્વતંત્રતા સેનાનીઓના ફોટા અને તેમનું વર્ણન છે. ટીપુ સુલ્તાનના ફોટોને લઇને ભાજપનું કહેવું છે કે વિવાદિત વ્યક્તિનો ફોટો ના લગાવવો જોઇએ. આ મામલે દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામનિવાસ ગોયલે કહ્યું કે ભાજપ દરેક મુદ્દાને વિવાદિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્પીકરે કહ્યું કે આપણા સંવિધાનના 144માં પાન પર પણ ટીપુ સુલ્તાનનું ચિત્ર છે.

વધુમાં અંગ્રેજી છાપાથી વાતચીત કરતા ભારતીય જનતા પાર્ટી વિધાયકનું કહેવું છે કે તે લોકોના ચિત્રો લગાવવા જોઇએ જેમણએ દિલ્હી અને તેના ઇતિહાસમાં કોઇ ભૂમિકા ભજવી હોય નહીં કે તે લોકોના જેમના પર વિવાદ ચાલી રહ્યો હોય અને તે દિલ્હીના ના હોય. નોંધનીય છે કે દિલ્હી વિધાનસભામાં સ્વંતત્રતા સેનાની અશફાકુલ્લા ખાન, ભગત સિંહ, બિરસા મુંડા, રાની ચેન્નમા, સુભાષ ચંદ્ર બોઝ સમેત 70 હસ્તીઓના ફોટા લગાવવામાં આવ્યા છે. આ વિવાદ પર આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે દિલ્હી વિધાનસભામાં પોસ્ટર લગાવવા પહેલા અમે ભારતીય જનતા પાર્ટી અને તેમના વિધાયકોને પુછ્યું હતું કે તે તેમની પાર્ટી કે આરએસએસના લોકોનું નામ કહે જેમણે સ્વતંત્રતા સંધર્ષમાં કામ કર્યું હોય. પણ ભાજપ કોઇ નામ નહતા આપ્યા.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
