For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જોધપુરની ગલીઓમાં આમિર-રણબીરની લટાર, વાંચો કઇ-કઇ બાબતો છે ખાસ

|
Google Oneindia Gujarati News

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો નિતા અંબાણીના 50માં જન્મ દિવસની પાર્ટીમાં હાજર રહેવા માટે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે તથા બૉલીવુડ અભિનેતા આમિર ખાન જોધપુર આવ્યા હતા. રાજકારણની વાત કરવામાં આવે તો ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના ભરૂચમાં સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમાનું શિલાન્યાસ કરવામાં આવ્યું હતું. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

સરદારની પ્રતિમાનું શિલાન્યાસ

સરદારની પ્રતિમાનું શિલાન્યાસ

ગુજરાતના ભરૂચ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી તથા પક્ષના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી દ્વારા સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમાનું શિલાન્યાસ કરવામાં આવ્યું હતું.

શિવસેના પ્રમુખ જોધપુરમાં

શિવસેના પ્રમુખ જોધપુરમાં

નિતા અંબાણીના 50મા જન્મ દિવસની ઉજવણી નીમિત્તે જોધપુર પહોંચેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને તેમનો પરિવાર.

દિવાળીના તહેવારની તૈયારી

દિવાળીના તહેવારની તૈયારી

ઝારખંડના રાંચીમાં દિવાળીના તહેવાર પહેલા યોજાયેલા એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલી મુસ્લિમ મહિલા.

ભાજપની બેઠક

ભાજપની બેઠક

નવી દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. જેમાં ભાજપ પ્રમુખ રાજનાથ સિંહ, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, સુષ્મા સ્વરાજ, એમએમ જોશી, અરૂણ જેટલી હાજર રહ્યાં હતા.

આમિર ખાન જોધપુરમાં

આમિર ખાન જોધપુરમાં

નિતા અંબાણીના 50માં જન્મ દિવસની ઉજવણી નીમિત્તે અભિનેતા આમિર ખાન અને રણબીર કપૂર જોધપૂર પહોંચ્યા હતા.

રાષ્ટ્રપતિએ અર્પી શ્રદ્ધાંજલિ

રાષ્ટ્રપતિએ અર્પી શ્રદ્ધાંજલિ

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ નવી દિલ્હીમાં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત

વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત

અલ્હાબાદમાં મોતિલાલ નહેરુ નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વિદ્યાર્થીઓને પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે ડિગ્રી એનાયત કરી હતી.

લોકોએ આપી ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ

લોકોએ આપી ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ

બિકાનેરમાં લોકોએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ

ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને તેમની પૂણ્ય તીથિએ શ્રદ્ધાંજલિ અર્પી હતી.

સરદારને શ્રદ્ધાંજલિ

સરદારને શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીમાં સસંદ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલી જન્મ જંયતિ નીમિત્તે વડાપ્રધાન મનમોહન સિંહ અને કેન્દ્રીય ગૃહમંત્રી સુશિલ કુમાર શિંદેએ સરદારને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

English summary
here is some top news with photos.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X