આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
બેંગ્લોર 14 મેઃ જ્યારે બાળક જન્મે છે તો સૌથી પહેલો પ્રશ્ન તેના જીવનમાં આવે છે, છોકરો થયો કે છોકરી? પછી દૂધ પીધું કે નહીં? મોટો થાય તો શું બનશે, અભ્યાસ કેવો ચાલી રહ્યો છે? કારકિર્દી અંગે કંઇ વિચાર્યું છે કે નહીં? લગ્ન થઇ જાય તો પરિવાર સાથે જોડાયેલા પ્રશ્નો, બાળક થતાં જ તેની ચિંતાથી ભરેલા પ્રશ્નો. વૃદ્ધાવસ્થા આવતા તબિયત કેવી છે, દવા લીધી કે નહીં? વૃદ્ધાવસ્થા પછી મર્યા બાદ પણ કેટલાક પ્રશ્નો તેની પીછો નથી છોડતા, મરતા જ પ્રશ્ન- ક્રિયાકર્મ થઇ ગયા, શું છોડીને ગયા, વગેરે... વગેરે...
આમ જોઇએ તો આપણું જીવન પ્રશ્નોથી ઘેરાયેલું છે. પ્રશ્ન જીવની શરૂઆતથી આપણો હાથ પકડે છે અને જ્યાં સુધી આપણું અસ્તિત્વ રહે છે, ત્યાં સુધી આપણી સાથે રહે છે, પછી તે દિલને દુઃખી કરનારો પ્રશ્ન હોય કે, ખુશી આપનારો. મનોબળ વધારવાનો કે મનોબળ ઘટાડનારો. પ્રશ્ન આવતા જ પરસેવો છૂટી જાય છે, અથવા પ્રશ્ન જોઇને દિલ કંપી ઉઠે છે. આ આપણી જીંદગીના દરેક ભાગ સાથે જોડાયેલું છે. આવા જ કેટલાક પ્રશ્નો પર તમારું ધ્યાન આકર્ષિત કરવા જઇ રહ્યાં છીએ, જે સામાન્ય ભારતીયોના જીવન સાથે જોડાયેલા છે.
જો તમે ભારતમાં રહો છો, તો આ 50 પ્રશ્નો દરરોજ બે-ચાર વખત તમારી સમક્ષ આવતા હશે. આ પ્રશ્નો છે સામન્ય માનવીની જિંદગીના. તેમની જીવનશૈલી સાથે જોડાયેલા પ્રશ્નો છે. દેશના રાજકારણ, મનોરંજન, ખેલ, શિક્ષા, વિકાસ, વ્યાપાર, સામાન્ય જીવન, વગેરે સાથે જોડાયેલા છે. આ ખરેખર દેશને નહીં પણ તમારી સાથે જોડાયેલા પ્રશ્નો છે.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
શું પ્રિયંકા ગાંધી રાજકારણમાં આવશે?
આરોપોનો સામનો કરી રહેલી કોંગ્રેસ અને રાહુલ ગાંધીની દેશમાં પ્રભાવહીન સ્થિતિ બાદ આ પ્રશ્ન સામાન્ય જનતાના મનમાં છે કે શું પ્રિયંકા ગાંધી રાજકારણમાં આવશે?

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
સચિન ક્યારે નિવૃત્તિ લેશે?
સતત ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહેલા સચિને ભલે વનડેમાંથી નિવૃત્તિ લઇ લીધી હોય, પરંતુ ત્યારપછી પણ ક્રિકેટ પ્રેમી એવું વિચારે છે કે, ક્રિકેટનો આ સિતારો, પૂર્ણરૂપમાં ક્રિકેટને ક્યારે અલવિદા કહેશે.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
શું ભારત અને પાકિસ્તાનના સંબંધો સુધરશે?
પાકિસ્તાનમાં નવાઝ શરીફની તાજપોશીને લઇને ભારત ઘણું ખુશ છે. ભારતીય રાજકારણમાં આ વાતનની સરાહના કરવામાં આવી રહી છે કે, નવાઝ શરીફના આવ્યા પછી ભારત અને પાકિસ્તાનના સંબંધો મધુર થશે, પરંતુ જનતા એ જાણવા માગે છે કે નવાઝ શરીફ ભારત માટે કેટલા 'શરીફ' થશે? શું શરીફ ભારતના એ દુશ્મનો પર કાર્યવાહી કરશે જે પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી રહ્યાં છે?

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
શું નરેન્દ્ર મોદી ભારતના પ્રધાનમંત્રી બનશે?
ગુજરાતમાં પોતાના વિકાસ કાર્યોના કારણે ચર્ચાનું કેન્દ્ર બનેલા મોદીને લઇને આ પ્રશ્ન આજે સામાન્ય છે.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
રાહુલ ગાંધી ક્યારે પ્રધાનમંત્રી બનશે?
સતત ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલી કોંગ્રેસને જોઇને આ પ્રશ્ન પૂછવો એ સ્વાભાવિક છે, કે શું રાહુલ ગાંધી કોંગ્રેસની વિરાસતને આગળ લઇ જતા પ્રધાનમંત્રીની ખુરશી સુધી પહોંચી શકશે.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
સલમાન ક્યારે લગ્ન કરશે?
ઘણી અભિનેત્રીઓ સાથે પોતાના સંબંધોને લઇને ચર્ચામાં રહેલા સલમાનને આજે પણ એ પૂછવામાં આવે છે કે તે લગ્ન ક્યારે કરી રહ્યો છે.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
શું 2014માં ત્રીજા મોરચાની સરકાર કેન્દ્રમાં આવશે?
આજે બન્ને મોટી પાર્ટીઓ ભ્રષ્ટાચારના આરોપોમાં ઘેરાયા બાદ, આ પ્રકારના કયાસ લગાવવામાં આવી રહ્યાં છે.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
શુ સલમાન-શાહરુખની મિત્રતા થશે?
બોલિવુડના દરેક ચાહનારાઓ માટે આ એક મોટો પ્રશ્ન છે કે શાહરુખ ખાન અને સલમાન ખાન વચ્ચે ફરીથી મિત્રતા થશે.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
શું આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપને પડકાર આપશે?
પોતાની રાજકિય પાર્ટી, આમ આદમી પાર્ટીની ઘોષણા કર્યા બાદ અરવિંદ કેજરીવાલ અંગે એવા કયાસ લગાવવામાં આવી રહ્યાં છે કે તેમની પાર્ટી દેશના એક સાચું નેતૃત્વ આપી શકશે કે નહીં.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
કાશ્મિરનો મુદ્દો ક્યારે હલ થશે?
ભાગલા બાદથી આ વિવાદિત રહ્યું છે કે ભારતના કાશ્મિર ક્ષેત્રને લઇને લોકોના મનમાં આ એક પ્રશ્ન છે. જેનો જવાબ રાજકિય નેતૃત્વ પાસે પણ નથી.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
મને ક્યારે નોકરી મળશે?
બેરોજગારી હમેશાથી ભારતની એક મોટી સમસ્યા રહી છે, પરંતુ હજુ પણ આ મુદ્દો સરકારની પ્રાથમિકતામાં નથી. આ જ કારણ છે કે આજે આ પ્રશ્ન દરેક યુવાનને અંદરથી ખાઇ રહ્યો છે.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
શું કોંગ્રેસ ફરીથી સત્તામા આવશે?
કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીમાં એક મોટી પાર્ટીના રૂપમાં ઉભર્યા બાદ હવે એવી વાતો કરવામાં આવી રહી છે કે શું કોંગ્રેસ કેન્દ્રમાં પણ પુનરાગમન કરી શકશે?

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
આતંકવાદનો ખાતમો ક્યારે થશે?
સમય-સમય પર થતા આતંકી હુમલાનો સામનો કરી રહેલી જનતાનો સરકારને આ એક મોટો પ્રશ્ન છે.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
ભૃણ હત્યા ક્યારે રોકાશે?
ભારતમાં આ અપરાધ મોટી માત્રામાં થઇ રહ્યો છે. જેમાં સંપન્ન અને શિક્ષિત લોકો પણ સામેલ છે અતઃ આ પ્રશ્ન ઘણો જ પ્રાસંગિક છે.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
કુપોષણનો ખાતમો ક્યારે થશે?
બુનિયાદી સમસ્યાઓની ઉણપથી ઝઝૂમી રહેલા ભારતમા આજે આ એખ મોટો અને નિરુત્તર પ્રશ્ન છે.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
બળાત્કારની ઘટનાઓ ક્યારે રોકાશે?
દિલ્હી રેપ કેસ અને ગુડિયા રેપ કેસથી દેશને શર્મસાર થયા બાદ આ પ્રશ્ન આજે સામાન્ય છે કે ભારતમાં એક દિવસ એવો ક્યારે આવશે, કે જ્યારે દિવસભર એકપણ બળાત્કારની ઘટના નહીં થાય.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
ચૂંટણીની જાગરૂકતા ક્યારે આવશે?
દેશની જનતા હજુ પણ ધર્મ અને જાતિના આધારે વોટ કરે છે. તેવામાં આ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે એ દિવસ ક્યારે આવશે કે જયારે આખો દેશ પોતાના અધિકારો માટે જાગરૂક થશે.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
ક્યારે બનશે ભારત સૌ ટકા શિક્ષિત?
આઝાદીના 60 વર્ષો બાદ પણ ભારતમાં અશિક્ષા એક મોટો મુદ્દો છે. દેશમાં સારી સ્કૂલોની અછત છે સાથે જ ક્વોલિટી એજ્યુકેશન પણ નથી.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
બાળ વિવાહ ક્યારે અટકશે?
ભારત જેવા વિકાસશીલ દેશમાં આ પ્રકારની સમસ્યા આજે પણ વિશ્વમાં દેશને શર્મસાર કરે છે.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
દહેજના કારણે થતી હત્યાઓ ક્યારે અટકશે?
દહેજ હત્યા એખ એવો અભિશાપ છે કે જે કન્યાભૃણ હત્યાનું એક કારણ છે.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
છોકરા-છોકરીનું અંતર ક્યારે બંધ થશે?
અશિક્ષાનુ એક મુળ કારણ જેના પરિણામ સ્વરૂપ છોકરી અને છોકરામાં ભેદભાવ કરવામાં આવે છે.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
રોટી, કપડાં અને મકાનની સમસ્યા ક્યારે ખતમ થશે?
આઝાદીના છ દશકાઓ પછી પણ ભારતની સરકાર દેશની બુનિયાદી જરૂરિયાતોને પૂરી નથી કરી શકી.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
ક્યારે વિકાસના વચનોનું અમલ થશે?
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ અનુસાર ભારતને 2020 સુધી એક વિકસિત રાષ્ટ્ર બની જવુ જોઇએ પરંતુ વર્તમાન સ્થિતિ અનુસાર આ હજુ પણ એક સ્વપ્ન જ છે.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
અંધ વિશ્વાસ ક્યારે ખતમ થશે?
અંધવિશ્વાસ એક એવી સામાજિક બુરાઇ છે જે સમય સાથે વધુ ફેલાઇ રહી છે.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
ભારત ક્યારે જાતિમુક્ત દેશ થશે?
ભારતમાં જાતિવાદ મોટી સમસ્યા છે જેમા આરક્ષણ જેવી પ્રણાલીને વિકસિત કરવાનું એક કારણ બની ગયું છે. તેવામાં જાતિમુક્ત દેશનું સ્વપ્ન દરેક જાગરૂક હિન્દુસ્તાની જોવે છે.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
મોંઘવારી ક્યારે નિયંત્રણમાં આવશે?
સરકારો બદલાય છે પરંતુ સામાન્ય જનતા માટે મોંઘવારી વધવાની સાથે મુશ્કેલીઓ પણ વધી રહી છે.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
લગ્ન ક્યારે કરશો?
ભારતમાં આમ તો બાળ વિવાહ પણ થાય છે પરંતુ જ્યારે છોકરાની ઉમર 30ની આસપાસ જતી હોય છે તો તેની સામે આ પ્રશ્ન આવી જાય છે.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
મને ઇન્ક્રિમેન્ટ ક્યારે મળશે?
પોતાની પહેલી નોકરી જોઇન કરવાની સાથે જ દરેક કર્મચારીના મનમાં આ પ્રશ્ન હોય છે.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
ક્યારે ખતમ થશે ઘરેલું મહિલા હિંસા?
ઘરેલુ મહિલા હિંસા રોકવી આજે આખા સમાજ માટે એક પડકાર બની ગઇ છે. મુખ્ય સમસ્યા એ છે કે આ પ્રકારની ઘટનાઓ અભિજાત્ય વર્ગ અને શિક્ષિત ઘરોના લોકો પણ કરે છે.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
પ્રમોશન ક્યારે મળશે?
કોઇપણ કંપનીના કર્મચારીને આ પ્રતિક્ષા હોય છે કે તેને પ્રમોશન ક્યારે મળશે.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
મોટા થઇને શું બનશો?
બાળકોના જન્મ સાથે જ હંમેશા માતા-પિતા હંમેશા વિચારવા લાગે છે, તેમનો છોકરો ડોક્ટર કે એન્જિનિયર બનશે, પરંતુ બાળક માટે આ સૌથી મોટો પ્રશ્ન હોય છે કે તે મોટો થઇ શું
બનશે.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
કોની સરકાર બનશે?
દરકે ચૂંટણીની સાથો-સાથ આ કયાસ લગાવવામાં આવે છે કે કોની સરકાર બનશે? રાજકિય વિશ્લેષકોની સામે પણ આ જ પ્રશ્ન હોય છે.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
ટ્રેન કેટલી લેટ છે?
ભારતીય રેલથી તમે બધા માહેતગાર છો. અહીંની ટ્રેનની ખરાબ હાલતનો અંદાજો તેનાથી આવે છે કે દરરોજ અસંખ્ય ટ્રેનો લેટ હોય છે. રેલવે હંમેશા મોસમને કારણ દર્શાવે છે, ક્યારેક અંદરની ખામીને શોખવાનો પ્રયાસ નથી કરતું.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
તારી જાતિ કઇ છે?
આ પ્રશ્ન સામાન્ય રીતે ત્યારે પૂછવામાં આવે છે, જ્યારે કોઇ ભાડાનું મકાન શોધવા જાય છે. અફસોસની વાત એ છે કે દેશના દરેક નાના મોટા શહેરમાં આ પ્રશ્ન પૂછવામાં આવે છે.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
શું સચિનને ભારત રત્ન મળશે?
ક્રિકેટમાં પોતાના અતુલનિય યોગદાન માટે મહાન ખેલાડી સચિનને શું ભારત રત્ન મળશે.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
12મી પછી સાયન્સ લેશો કે આર્ટ્સ?
દરેક વિદ્યાર્થીની સામે આ પ્રશ્ન હોય છે કે તે 12મી બાદ સાયન્સ લેશે કે આર્ટ્સ.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
ક્યારે બોલશે પ્રધાનમંત્રી મનમોહન સિંહ?
કોઇપણ આતંકી હુમલા કે મુશ્કેલી સમયે દેસની જનતાની નજર પ્રધાનમંત્રી મનમોહન સિંહ તરફ હોય છે કે તે શું બોલશે. પરંતુ અફસોસની વાત એ છે કે તે ભારતની જનતાને મજબૂત નેતૃત્વનો અનુભવ કરાવી શક્યા નથી.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
રિઝર્વેશન કન્ફોર્મ થયું કે નહી?
ભારતના કરોડો યાત્રીઓ દરરોજ ટ્રેનમાં મુસાફરી કરે છે, પરંતુ રિઝર્વેશન મળવું એ ઘણું જ કપરું કામ છે. આ રીતે જનારા અને નહીં જનારાઓ વચ્ચે આ હંમેશા એખ મોટો પ્રશ્ન રહે છે.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
કાલે રજા છે કે નહીં?
તમામ સંસ્કૃતિઓને સાચવીને રહેલા ભારતમાં જેટલા પ્રકારના લોકો રહે છે, તેટલા જ પ્રકારના તહેવાર પણ છે. તેવામાં ખાસ દિવસો દર અઠવાડિયે-દસ દિવસે આવી જાય છે ત્યારે તેના પહેલા લોકો આ પ્રશ્ન જરૂરથી પૂછે છે.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
શું ખરેખ સંજય દત્ત સાડા ત્રણ વર્ષ જેલમાં રહેશે?
સંજય દત્તને 16 મેના રોજ પોલીસ સામે આત્મસમર્પણ કરવાનું છે. જે અંગે જનતા એ વિચારે છે કે, તેમની છબી અને જીવનને જોઇને સરકાર તેમની કેટલીક સજા માફ કરાવી દેશે.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
આજે પાણી કેમ નથી આવ્યું?
દેશના દરેક નાના મોટા શહેરોમાં પાણીની સમસ્યા તમને જરૂરથી જોવા મળશે, પછી તે શિયાળો હોય કે ઉનાળો.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
વરસાદ ક્યારે થશે?
જે દેશમાં 60 ટકાથી વધારે લોકો ખેતી સાથે જોડાયેલા છે, ત્યાં આ પ્રશ્ન ઘણો મોટો હોય છે, કારણ કે તેમની જિંદગી તેની સાથે જોડાયેલી છે.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
2014માં દેશની સત્તા કોને મળશે?
દેશમાં આગામી વર્ષમાં થનારી સામાન્ય ચૂંટણી અંગેનો આ પ્રશ્ન દરેક વ્યક્તિના મનમા છે કે આવનારા સમયમાં કોની સરકાર બનશે

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
શું પોલીસ તેને પકડી શકશે?
જ્યારે પણ કોઇ ગુન્હો થાય છે અને આરોપી ભાગી જાય છે, તો સૌથી પહેલો પ્રશ્ન એ ઉઠે છે કે પોલીસ તેને પકડી શકશે. અફસોસ ભારતમાં આ પ્રશ્ન સૌથી વધુ ઉઠે છે.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
શું લતાજી જેવી ગાયિકા ફરી કોઇ બનશે?
લતાજીના વિશાળ વ્યક્તિત્વને જોઇને આજે દરેક વ્યક્તિ આ જ કયાસ લગાવી રહ્યો છે.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
ક્રિકેટના જગતમાં સચિનનો 100 સદીનો રેકોર્ડ કોઇ તોડી શકશે?
સચિને પોતાની કારકિર્દીમાં 100 આંતરરાષ્ટ્રીય સદી લગાવી છે, તેવામાં ક્રિકેટ પ્રેમી એવો કયાસ લગાવી રહ્યાં છે કે કોણ હશે જે સચિનનો રેકોર્ડ તોડશે.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
હું કેવી દેખાઉ છું?
જ્યારે પણ કોઇ યુવતી તૈયાર થાય છે, તો તેના મનમાં આ પ્રશ્ન અવશ્ય થાય છે કે તે કેવી દેખાય છે.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
કેટલુ કમાવો છો?
ભારતમાં વ્યક્તિ કેટલી પણ મોટી પોસ્ટ પર કેમના હોય તેને આ પ્રશ્નનો સામનો તો કરવો જ પડે છે.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
પોલીસ ક્યારે લાંચ લેવાનું બંધ કરશે?
ભારતની સામાન્ય જનતાને પ્રશાસનથી પણ નિરાશા છે કે પોલીસ લાંચ લેવાનું ક્યારે બંધ કરશે.

આ 50 પ્રશ્નોના જવાબ શોધી રહી છે દેશની જનતા
ક્યારે ખતમ થશે અયોધ્યા વિવાદ?
રાજનીતિજ્ઞો દ્વારા ઉઠાવવામાં આવેલો મુદ્દો, જેનો આજે પણ કોઇ અંત જોવા મળી રહ્યો નથી.












Click it and Unblock the Notifications
