Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

તો આ માટે મોદી ક્યારેય નથી કરતા જયલલિતાની ટીકા

નવી દિલ્હી, 6 માર્ચઃ ભાજપના પીએમપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પોતાની વિરોધી પાર્ટીઓ પર આકરા પ્રહારો કરી રહ્યાં છે, પરંતુ તેમણે મમતા બેનરજી અને જયલલિતા વિરુદ્ધ ક્યારેય ખુલીને પ્રહાર કર્યા નથી. મમતા અંગે તેમને વિશ્વાસ છે કે ચૂંટણી બાદ એનડીએ સાથે આવી શકે છે. જ્યારે જયલલિતાએ ત્રીજા મોરચા સાથે જવાના સંકેત આપ્યા હતા, પરંતુ તેઓ ખુલીને તેના પર કંઇ બોલ્યા નથી. મીડિયામાં આવી રહેલા સમાચારો અનુસાર જયલલિતાએ ત્રીજા મોરચા માટે ના પાડી દીધી છે.

jayalalitha
જણાવવામા આવી રહ્યું છે કે,બે ડાબેરી પાર્ટીઓ સાથે જયલલિતાએ બેઠકો પર સમજૂતિ કરવાની ના કહી દીધી છે. 2009માં આ બન્ને જ પાર્ટીઓએ 6 બેઠકો પર ચૂંટણી લડી હતી. એઆઇએડીએમકે તેમણે એકથી વધુ બેઠક આપવાની ના પાડી દીધી છે. આશા એવી રાખવામાં આવી રહી છે કે, જયલલિતાની પાર્ટી 15થી 23 બેઠકો જીતવામાં સફળ રહેશે, તો ડીએમકે 7થી 13 બેઠકો જીતી શકે છે. કોંગ્રેસને ત્યાં 1થી 5 અને અન્યને લગભગ 4 બેઠકો મળી શકે છે.

નોંધનીય છે કે થોડા સમય પહેલા જ ડીએમકે પ્રમુખ કરુણાનિધિએ નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા અને તેમને પોતાના સારા મિત્ર ગણાવ્યા હતા. જયલલિતા પણ મોદની નજીક છે. અતઃ રાજકીય વિશ્લેષક જયલલિતાની પાર્ટીને ચૂંટણી બાદ એનડીએમાં સામેલ થવાની આશા વ્યક્ત કરી રહી છે.

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે અને નવા નવા રાજકીય સમીકરણ જન્મ લઇ રહ્યાં છે. હજુ દિલ્હીમાં 12 પાર્ટીઓએ ગઠબંધન કરી ત્રીજા મોરચાની ઔપચારિક ઘોષણા કરી છે. જે અંગે જેડીયુ નેતા શરદ યાદવનું કહેવું હતું કે, આ થર્ડ ફ્રન્ટ નહીં પરંતુ ફર્સ્ટ ફ્રન્ટ છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે મોરચામાં પાર્ટીઓની સંખ્યા વધી શકે છે. જયલલિતાએ ત્રીજા મોરચાની ના પાડ્યા બાદ ચૂંટણી પછી ત્રીજા મોરચાનો દળ ભાજપ અને કોંગ્રેસ સાથે જઇ શકે છે. તમિળનાડુમાં 39 લોકસભા બેઠકો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X