ગાડીની નમ્બર પ્લેટ પર લખ્યું હતું રામ, ટ્રાફીક પોલીસે આપ્યો મેમો
મેરઠની મેડિકલ કોલેજની સામે, ટ્રાફિક પોલીસે ખોટી નંબર પ્લેટ લગાવવા બદલ એક કાર ચાલકને મેમો આપ્યો હતો. જેને પગલે કારચાલક અને પોલીસ વચ્ચે લાંબી ચર્ચા થઈ હતી. ટ્રાફિક નિરીક્ષક ડી.ડી.દિક્ષિત રવિવારે સાંજે ગ
મેરઠની મેડિકલ કોલેજની સામે, ટ્રાફિક પોલીસે ખોટી નંબર પ્લેટ લગાવવા બદલ એક કાર ચાલકને મેમો આપ્યો હતો. જેને પગલે કારચાલક અને પોલીસ વચ્ચે લાંબી ચર્ચા થઈ હતી. ટ્રાફિક નિરીક્ષક ડી.ડી.દિક્ષિત રવિવારે સાંજે ગઢ રોડ પર વાહનોની તપાસ કરી રહ્યા હતા. પછી તેમણે એક કાર જોઇ જેનો નંબર ખોટો લખાયો હતો.

જ્યારે ટ્રાફિક ઈન્સ્પેકટરે નંબર પ્લેટ સુધારવાની વાત કરી ત્યારે આરોપીએ કહ્યું કે ભલે તમે મેમો આપો પણ નંબર પ્લેટ આ જ રહેશે. જે બાદ નંબર પ્લેટ સ્પષ્ટ ન હોવાથી પોલીસે ઇ-ચલન ઇસ્યુ કર્યું હતું. કાર ડ્રાઈવરે કહ્યું કે આ નંબર મેળવવા માટે તેણે 31 હજાર રૂપિયા ખર્ચ કરવા પડ્યા છે, પછી તેને આ નંબર મળ્યો. પોલીસના ચલણ હોય કે કાર કબજે કરે, નંબર પ્લેટ આ જ રહેશે.
કાર ચાલકે વધુ ખુલાસો કર્યો કે તે શ્રી રામનો ભક્ત છે. પોલીસે કહ્યું કે આ રીતે નંબર પ્લેટ પર લખવું એ મોટર વાહન અધિનિયમનું ઉલ્લંઘન છે અને તેથી 300 રૂપિયા દંડ ફટકાર્યો છે. ટ્રાફિક નિરીક્ષકે જણાવ્યું હતું કે મોટર વાહન અધિનિયમ હેઠળ નંબર પ્લેટ પર નંબર સ્પષ્ટ ન હોય તો દંડ ફટકારવામાં આવી શકે છે. નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. જો નંબર પ્લેટ સુધારવામાં નહીં આવે તો નિયમો મુજબ ડબલ ચલણ કરવામાં આવશે.
આ પણ વાંચો: લખનઉ પોસ્ટર કેસ: યોગી સરકારને સુપ્રીમનો ઝટકો, હાઇકોર્ટના આદેશ પર રોક લગાવવાનો ઇનકાર
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
