Somnath Express Train Accident: જબલપૂરમાં ટ્રેન અકસ્માત, સોમનાથ એક્સપ્રેસના બે ડબ્બા ખડ્યા
Somnath Express Train Accident : દેશમાં ટ્રેન અકસ્માત હવે સામાન્ય બનતા હોય એ રીતે છાસવારે ટ્રેન અકસ્માતના સમાચારો આવી રહ્યા છે.
મધ્યપ્રદેશના જબલપુરમાં સોમનાથ એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી.
રેલવેના જણાવ્યા અનુસાર, તેના બે કોચ જે શરૂઆતમાં જોડાયેલા હતા, તે પાટા પરથી ઉતરી ગયા છે. હાલ તમામ મુસાફરો સુરક્ષિત છે, અને પોતાના ઘરે જવા રવાના થઈ ગયા છે.
પશ્ચિમ મધ્ય રેલવેના સીપીઆરઓ હર્ષિત શ્રીવાસ્તવે જણાવ્યું કે, ટ્રેન ઈન્દોરથી આવી રહી હતી. જ્યારે તે જબલપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 તરફ આગળ વધી રહી હતી ત્યારે ટ્રેન ધીમી ગતિએ આગળ વધી રહી હતી અને 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

તમામ મુસાફરો સુરક્ષિત છે. આ ઘટના સવારે લગભગ 5.50 વાગ્યે બની હતી. તે પ્લેટફોર્મથી લગભગ 150 મીટર દૂર પાટા પરથી ઉતરી ગયું હતું.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જબલપુર ડિવિઝનમાં એક રેલવે સ્ટેશન પાસે એક ટ્રેન લોખંડના સળિયા સાથે અથડાઈ હતી, ત્યારબાદ આરપીએફએ ઘટનાની તપાસ શરૂ કરી હતી.
પશ્ચિમ મધ્ય રેલવેના સીપીઆરઓ હર્ષિત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, અધિકારીઓને 18 ઓગસ્ટના રોજ લગભગ 10 કલાકે કચ્છપુરા રેલવે સ્ટેશન (જબલપુર જિલ્લો) નજીક નૈનપુર-જબલપુર ટ્રેન (05706) લોખંડના સળિયા સાથે અથડાવાની માહિતી મળી હતી.












Click it and Unblock the Notifications
