રેલભાડાંમાં 25મીથી વધારો; મુંબઇમાં 80 કિલોમીટર સુધી ભાડા વધારો લાગુ નહીં
નવી દિલ્હી, 24 જૂન : ભારતના રેલવે મંત્રાલયે રેલવેના ભાડામાં વધારો પાછો ખેંચવાની દરખાસ્ત નકારી કાઢતા 25 જૂન, 2014 એટલે કે બુધવારથી ટ્રેનના ભાડામાં વધારો અમલી બનાવવાનો નિર્ણય યથાવત રાખ્યો છે. જો કે મુંબઇમાં ભાજપ અને શિવસેનાના વિરોધ બાદ લોકલ ટ્રેન્સમાં સેકન્ડ ક્લાસમાં 80 કિલોમીટર સુધી કોઇ ભાવ વધારો થશે નહીં તેવી રાહત જાહેર કરી છે.
રેલવે મંત્રાલયે મુસાફરી ભાડામાં 14.2 ટકાનો વધારો કરવાની સાથે આવતી કાલથી અમલમાં આવે એ રીતે તમામ ચીજવસ્તુઓની હેરફેર માટેના ભાડાં, નૂરનાં દરમાં 6.5 ટકાનો વધારો પણ કર્યો છે.
નાણાકીય કટોકટીમાં ફસાયેલી ભારતીય રેલવેએ ગઈ 20 જૂને ભાડાંવધારાની જાહેરાત કરી હતી. આનાથી રેલવેને 8000 કરોડ રૂપિયાની આવક થવાની ધારણા છે.

બેઝિક ભાડાંમાંનો આ વધારો 25 જૂને કે ત્યારબાદ શરૂ થનાર ટ્રેન સફર માટે એડવાન્સમાં ઈસ્યૂ કરાયેલી ટિકિટો ઉપર પણ લાગુ થશે. જેમણે જૂના દરે ટિકિટો ખરીદી હશે તેમણે બુકિંગ ઓફિસો પર અથવા ટ્રેનની અંદર ટિકિટ ચેકરને રકમનો તફાવત ચૂકવવો પડશે.
નોંધનીય છે કે આ પહેલા મુંબઈમાં લોકલ ટ્રેનોમાં ભાડાંવધારાના મામલે મહારાષ્ટ્રના ભાજપ અને શિવસેનાના સંસદસભ્યો તેમજ કોંગ્રેસના સાંસદો આજે રેલવે પ્રધાન સદાનંદ ગૌડાને મળ્યા હતા અને ભાડાંવધારો પાછો ખેંચવા તેમની પર દબાણ કર્યું હતું. તે સમયે નરેન્દ્ર મોદીની સરકારે આ ભાડાંવધારો પાછો ખેંચવાની શક્યતાને નકારી કાઢી હતી. જો કે ત્યાર બાદ મંત્રાલયે લોકોનો રોષ જોતા રાહત કરી આપી હતી.
આ બાબતે શિવસેનાના ઉદ્ધવ ઠાકરેએ નાણા મંત્રી અરૂણ જેટલી સાથે ફોન પર વાત કરી હતી. રેલવે પ્રધાન સદાનંદ ગૌડાએ રાહત આપવાની ખાતરી આપી હતી.
હવે મુંબઇમાં સેકન્ડ ક્લાસમાં 10 ટકા અને ફર્સ્ટ ક્લાસની સીઝન ટીકિટમાં 14.2 ટકાનો વધારો થશે.
નોંધનીય છે કે મુંબઈની લોકલ ટ્રેનો બે કરોડ જેટલા લોકો માટે જીવાદોરી સમાન છે. પશ્ચિમ, મધ્ય અને હાર્બર લાઈનો પર દરરોજ લગભગ 80 લાખ લોકો મુસાફરી કરે છે.
નવા ભાડાં વધારા બાદ મુંબઈમાં લોકલ ટ્રેન માટે સેકન્ડ ક્લાસના માસિક પાસનું ભાડું જે હાલ 85 રૂપિયા છે તે વધીને 150 રૂપિયા થશે, જ્યારે રૂપિયા 190નું ભાડું વધીને રૂપિયા 480 થશે. એવી જ રીતે, ફર્સ્ટ ક્લાસ માટે માસિક પાસનું ભાડું રૂપિયા 795થી વધીને રૂપિયા 1930 થશે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
