ખામિનગર ગ્લેશિયરમાં ફસાયા ટ્રેકર્સ, બરફવર્ષા અને ઠંડીના કારણે બેના મોત
ખામિનગર ગ્લેશિયરમાં આરોહકો અટવાઇ ગયા હોવાની માહિતી મળ્યા બાદ જિલ્લા વહીવટીતંત્રે 32 સભ્યોની બચાવ ટીમ બનાવી છે. 16 ટ્રેકર્સની આ ટીમ 15 સપ્ટેમ્બરના રોજ મનાલીથી ખામિનગર ગ્લેશિયર પર ચઢાઈ કરવા માટે નીકળી હતી.
કાઝા : પશ્ચિમ બંગાળના પર્વતારોહકોની એક ટીમ જે ટ્રેકિંગ પર હતી, તે સ્પીતી ખીણના ખામિનગર ગ્લેશિયરમાં બરફવર્ષાને કારણે અટવાઈ ગઈ છે. જ્યાં ભારે હિમવર્ષ અને ઠંડીના કારણે બે લોકોના મોત થયા હતા.
16 ટ્રેકર્સની આ ટીમ 15 સપ્ટેમ્બરના રોજ મનાલીથી ખામિનગર ગ્લેશિયર પર ચઢાઈ કરવા માટે નીકળી હતી
ખામિનગર ગ્લેશિયરમાં આરોહકો અટવાઇ ગયા હોવાની માહિતી મળ્યા બાદ જિલ્લા વહીવટીતંત્રે 32 સભ્યોની બચાવ ટીમ બનાવી છે. 16 ટ્રેકર્સની આ ટીમ 15 સપ્ટેમ્બરના રોજ મનાલીથી ખામિનગર ગ્લેશિયર પર ચઢાઈ કરવા માટે નીકળી હતી.

વહીવટી તંત્રે 32 સભ્યોની બચાવ ટીમ બનાવવામાં આવી છે
લાહૌલ સ્પીતીના ડીસી નીરજ કુમારે જણાવ્યું હતું કે, 16 સભ્યોની ટીમના બે સભ્યો સોમવારની સવારે કાઝા આવ્યા હતા અને સ્પીતી વહીવટી તંત્રને જાણ કરી હતી કે, તેમના અન્ય સાથીઓ ખામિનગર ગ્લેશિયરમાં ફસાયેલા છે, જેમાંથી બે ટ્રેકર્સનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય સાથીઓ હજુ પણ ત્યાં ફસાયેલા છે. નિરજે કહ્યું કે, અત્યારે 14 ટ્રેકર ત્યાં ફસાયેલા છે. વહીવટી તંત્રે 32 સભ્યોની બચાવ ટીમ બનાવી છે. આ ટીમમાં 16 ITBP જવાન, 6 ડોગરા સ્કાઉટ, એક ડોક્ટર છે. આ સાથે 10 પોર્ટર લોડ-બેરિંગ તરીકે કામ કરશે.
બચાવ ટીમને ગ્લેશિયર સુધી પહોંચવામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ લાગશે
નિરજે કહ્યું કે, બચાવ ટીમને ગ્લેશિયર સુધી પહોંચવામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ લાગશે. આવી સ્થિતિમાં હેલિકોપ્ટરને બચાવવા માટે વાતચીત કરવામાં આવી હતી, પરંતુ હેલિકોપ્ટર દ્વારા ત્યાં પહોંચી શકાતું નથી, તેથી 32 સભ્યોની બચાવ ટીમ બનાવવામાં આવી છે. મૃત્યુ પામેલા બે સભ્યોના નામ ભાસ્કર દેવ મુખોપાધ્યાય અને સંદપી કુમાર ઠાકુરતા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
પશ્ચિમ બંગાળની ટીમ ગઈ હતી ટ્રેકિંગ પર
ડીસી નીરજ કુમારે જણાવ્યું કે, 15 સપ્ટેમ્બરના રોજ ઇન્ડિયન માઉન્ટેનિયરિંગ ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળની છ સભ્યોની ટીમ કાટા વાયા ખામિનગર ગ્લેશિયર ટ્રેક પાર કરવા માટે બટાલથી રવાના થઈ હતી. તેમની સાથે 10 પોટર પણ શામેલ છે. બચાવ કાર્ય પિન ખીણના કાહ ગામથી શરૂ થશે. 28 મી સપ્ટેમ્બરે પ્રથમ દિવસે કાહથી ચાણખાંગો, બીજા દિવસે ચાંગથાંગોથી ધાર થાંગો અને છેલ્લા દિવસે ધરથાંગોથી ખામિનગર હિમનદી બચાવ ટીમ પહોંચશે. ખામિનગરથી પાછા કાહ પહોંચતા ત્રણ દિવસ લાગશે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
