અજિત ડોવાલની જાંચ કરો, પુલવામાં હુમલાનું સત્ય સામે આવશે
જમ્મુ કાશ્મીરના પુલવામાંમાં 14 ફેબ્રુઆરી દરમિયાન થયેલા આતંકી હુમલામાં હવે રાજનીતિ ગરમાઈ ચુકી છે.
જમ્મુ કાશ્મીરના પુલવામાંમાં 14 ફેબ્રુઆરી દરમિયાન થયેલા આતંકી હુમલામાં હવે રાજનીતિ ગરમાઈ ચુકી છે. સતત આ મુદ્દે ચોંકાવનારા નિવેદનો સામે આવી રહ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ પુલવામાં હુમલામાં શહીદ થયેલા જવાનોને "રાજનીતિક શિકાર" ગણાવતા મોટું નિવેદન આપ્યું છે. રવિવારે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં તેમને કહ્યું કે, "જો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલની પૂછપરછ કરવામાં આવે તો પુલવામાં હુમલાનું સત્ય સામે આવી જશે"
આ પણ વાંચો: પુલવામા હુમલા બાદની 7 અસરો જેને લીધે પાકિસ્તાન થશે પરેશાન

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં રાજ ઠાકરેએ મોટું નિવેદન આપ્યું
કોંગ્રેસ પાર્ટી ઘ્વારા લગાવવામાં આવેલા આરોપો પર સહમતી વ્યક્ત કરતા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું કે, "પુલવામાં હુમલાના સમયે પ્રધાનમંત્રી મોદી કોર્બેટ નેશનલ પાર્કમાં એક ફિલ્મનું શૂટિંગ કરવામાં વ્યસ્ત હતા. એટલું જ નહીં પરંતુ આતંકી હુમલાની ખબર આવ્યા પછી પણ તેમનું શૂટિંગ ચાલુ રહ્યું"

અજિત ડોવાલ અંગે મોટી વાત
રાજ ઠાકરેએ આ દરમિયાન મોટો દાવો કરતા કહ્યું કે, "જો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલની પૂછપરછ કરવામાં આવે તો પુલવામાં હુમલાનું સત્ય સામે આવી જશે". રાજ ઠાકરેના નિવેદન પર મહારાષ્ટ્ર ભાજપના પ્રવક્તા માધવ ભંડારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે રાજ ઠાકરે પોતાના આખા કરિયરમાં મિમિક્રી કરતા આવ્યા છે. હવે અજિત ડોવાલ પર આરોપ લગાવીને તેઓ રાહુલ ગાંધીનું અનુકરણ કરી રહ્યા છે.

ભાજપે રાજ ઠાકરે પર પ્રહાર કર્યા
રાજ ઠાકરેએ પુલવામાં હુમલાના દિવસે પ્રધાનમંત્રી મોદીનું સમર્થન કરતા કહ્યું હતું કે આપણે બધા જ રાજનૈતિક મતભેદોને દૂર કરતા સરકાર સાથે ઉભા રહેવું જોઈએ. અમારી પાર્ટી જવાનોની શહાદત પર શોક વ્યક્ત કરે છે અને દુઃખની સ્થિતિમાં તેમના પરિવાર સાથે ઉભી છે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
