દેશના ફેમસ ન્યૂઝ એંકર રોહિત સરદાનાનુ નિધન, કોરોનાથી હતા સંક્રમિત
દેશના જાણીતા ટીવી ન્યૂઝ એંકર રોહિત સરદાનાનુ શુક્રવારે નિધન થઈ ગયુ.
નવી દિલ્લીઃ દેશના જાણીતા ટીવી ન્યૂઝ એંકર રોહિત સરદાનાનુ શુક્રવારે નિધન થઈ ગયુ. થોડા દિવસો પહેલા તેમણે RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો પરંતુ તેમનો રિપોર્ટ નેગેટીવ આવ્યો. બાદમાં સીટી સ્કેનમાં તેમને કોરોના પૉઝિટીવ હોવાની પુષ્ટિ થઈ. ત્યારબાદથી તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. અમુક લોકોનો દાવો છે કે તેમનુ મોત કોરોનાના કારણે નહિ પરંતુ હાર્ટ એટેકના કારણે થયુ છે.

રોહિત સરદાનાના સહયોગી અને વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈએ ટ્વિટ કરીને લખ્યુ કે બહુ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. ટીવી ન્યૂઝ એંકર રોહિત સરદાના દુનિયામાં નથી રહ્યા. તેમને શુક્રવારે સવારે હાર્ટ એટેક આવ્યો હતો. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના. વળી, ભાજપના પ્રવકતા સંબિત પાત્રાએ ટ્વિટ કરીને લખ્યુ કે રોહિત સરદાન, અમે તમને ખૂબ મિસ કરીશુ. જીવનના અભિન્ન અંગ બની ગયા હતા તમે અમારા, જ્યાં પણ હો મારા ભાઈ ખુશ રહો...નારાયણના ચરણોમાં રહો. ॐ શાંતિ.
હરિયાણામાં જન્મ્યા, દિલ્લી હતી કર્મભૂમિ
રોહિતનો જન્મ 22 સપ્ટેમ્બરે હરિયાણાના કુરુક્ષેત્રમાં થયો હતો. શાળાનો અભ્યાસ કર્યા બાદ તે હિસાર જતા રહ્યા અને ગુરુ જમ્બેશ્વર વિશ્વવિદ્યાલય વિજ્ઞાન અને પ્રોદ્યોગિકીમાં એડમિશન લીધુ. પહેલા તેમણે મનોવિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી. ત્યારબાદ એ યુનિવર્સિટીથી માસ કમ્યુનિકેશનમાં માસ્ટર્સ કર્યુ. વર્તમાન સમયમાં રોહિત ન્યૂઝ ચેનલ આજ સુધીમાં કામ કરી રહ્યા હતા. આ પહેલા તેમણે સહારા, ઝી ન્યૂઝ જેવી સંસ્થાઓમાં સેવા આપી હતી. 2018માં જ રોહિત સરદાનાને ગણેશ શંકર વિદ્યાર્થી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
અંતિમ સમય સુધી લોકોની મદદ
કોરોનાથી સંક્રમિત થયા બાદ પણ રોહિતે લોકોની મદદ કરવાનુ નહોતુ છોડ્યુ. તેમણે સતત ટ્વિટર દ્વારા લોકો સુધી મદદ પહોંચાડવાની કોશિશ કરી. નિધનથી 12 કલાક પહેલા એટલે કે ગુરુવાર રાત 8.45 પર તેમણે એક ટ્વિટ કર્યુ હતુ. જેમાં કાનપુરમાં ભરતી કરુણા શ્રીવાસ્તવ નામના દર્દી માટે મદદ માંગવામાં આવી હતી. તેમના નિધન બાદ સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકોને ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
