Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

1988 થી બે મુસ્લિમ કરતા હતા મંદિરમાં નોકરી, હવે હાંકી કઢાશે

મધ્ય પ્રદેશમાં મૈહર એક એવું શહેર છે, જે માતા શારદાના મંદિર અને પ્રખ્યાત સરોદ વાદક બાબા અલાઉદ્દીન ખાન દ્વારા સ્થાપિત કરવામાં આવેલા મૈહર સંગીત પરિવાર માટે ઓળખાય છે. એક લાંબા ધાર્મિક એકતાના ઇતિહાસ સાથે હવે મૈહર એક અલગ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યો છે.

રાજ્ય સરકારે સુચન કર્યું છે કે, હવે માતા શારદા મંદિરની પ્રબંધન સમિતિમાં મુસ્લિમ કર્મચારી કામ કરી શકે નહીં. રાજ્યના સાંસ્કૃતિક અને ધાર્મિક ટ્રસ્ટ મંત્રાલયના નાયબ સચિવ પુષ્પા કલેશ દ્વારા હસ્તાક્ષરિત પત્રમાં, મંદિર સમિતિને 17 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવેલા નિર્દેશનું પાલન કરવા અને રિપોર્ટ સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું છે.

Maa Sharda temple

ભલે રાજ્ય સરકારના નિયમો અનુસાર ધાર્મિક આધાર પર કોઈ કર્મચારીને કાઢી ન શકાય, પરંતુ 1988થી મા શારદા મંદિરમાં કામ કરતા બે મુસ્લિમ કર્મચારીઓ નોકરી ગુમાવી શકે છે. મૈહરમાં માંસ અને દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે.

જમણેરી સંગઠનો વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના સમર્થકોએ જાન્યુઆરીમાં સંસ્કૃતિ અને ધાર્મિક ટ્રસ્ટના પ્રધાન ઉષા સિંહ ઠાકુરનો સંપર્ક કર્યા બાદ ઉપરોક્ત બંને આદેશો કથિત રીતે જાહેર કરવામાં આવ્યા હતા.

મૈહર જિલ્લા કલેક્ટર અનુરાગ વર્મા, જેઓ મંદિર પ્રબંધન સમિતિના વડા પણ છે, તેમણે મીડિયાને જણાવ્યું છે કે, નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે નિવેદન માટે મંત્રીનો સંપર્ક થઈ શક્યો ન હતો. સરકારી આદેશની અસર માત્ર બે જ કર્મચારીઓને થઈ શકે છે, પરંતુ મૈહરના ઈતિહાસને જોતા એ સ્પષ્ટ થઈ જાય છે કે, નુકસાન ખરેખર કેટલું વધારે હશે.

Maa Sharda temple

મૈહર પ્રખ્યાત સંગીતકાર અને મૈહર ઘરાનાના સ્થાપક બાબા અલ્લાઉદ્દીન ખાનનું ઘર હતું. અલાઉદ્દીન ખાને ભારતીય શાસ્ત્રીય સંગીત જગતને કેટલાક મહાન કલાકારો આપ્યા છે. અલાઉદ્દીન ખાનના પ્રખ્યાત શિષ્યોમાં પંડિત રવિશંકર, પંડિત નિખિલ બેનર્જી ઉપરાંત તેમની પુત્રી અન્નપૂર્ણા દેવી અને પુત્ર ઉસ્તાદ અલી અકબર ખાનનો સમાવેશ થાય છે.

અલાઉદ્દીન ખાન, જેઓ મૈહરના મહારાજાના દરબારમાં સંગીતકાર હતા, તેમને ઘણા શાસ્ત્રીય રાગો રચવાનો શ્રેય આપવામાં આવે છે. એવું કહેવાય છે કે, તેઓ દરરોજ મા શારદા મંદિર તરફ જતા 1,063 પગથિયાં ચડતા હતા અને દેવીની સામે રિયાઝ કરતા હતા. પંડિત રવિશંકરે તેમના ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે, કેવી રીતે મૈહરમાં તેમના ગુરુનું ઘર દેવી કાલી, ભગવાન કૃષ્ણ અને ઈસુ ખ્રિસ્તના ચિત્રોથી ભરેલું હતું. એ ઘર હજુ પણ મૈહરમાં છે. બહારની દુનિયા બદલાઈ રહી હોવા છતાં ઘર બદલાયું નથી.

અલાઉદ્દીન ખાનનો વારસો સંગીતમાં તેમના યોગદાન પૂરતો મર્યાદિત નથી. એવું કહેવાય છે કે, કોરોના માહામારી બાદ ઘણા બાળકો અનાથ થયા હતા. પછી મહાન સંગીતકારે તેને પોતાના તાબા હેઠળ લીધો અને મૈહર બેન્ડ નામનું જૂથ બનાવ્યું હતું. મૈહર બેન્ડ હજુ પણ છે અને કલાકારોની પાંચમી પેઢી તેમાં સંગીતની પ્રેક્ટિસ કરી રહી છે.

મૈહરની માતા શારદા મંદિરમાં દેવીની પ્રાર્થના અને સંગીતનો રિયાઝ કરવામાં આવી હતી. આ મંદિર એક શક્તિપીઠ છે, જે દેવી શક્તિ પરંપરાના અનુયાયીઓની 51 સૌથી અગ્રણી પીઠોમાંથી એક છે. મૈહર શહેરનું નામ એવું માનવામાં આવે છે કે, જ્યારે ભગવાન શિવે સતી સાથે તાંડવ કર્યું હતું, ત્યારે તેનો હાર ત્રિકુટા ટેકરી પર પડ્યો હતો, જેનાથી મંદિર અને શહેરનું નામ મૈહર (એટલે​કે માતાનો હાર) પડ્યું હતું. એવું માનવામાં આવે છે કે, આ મંદિર ઇસવીસન 502 બનાવવામાં આવ્યું હતું. જ્યાં દેશ-વિદેશમાંથી શ્રદ્ધાળુઓ આવે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X