દિલ્હી: ગણતંત્ર દિવસ પર પાકના ડ્રોન ડેડ મેથડ થી મોકલ્યા હથિયાર, ચાર આતંકવાદીઓ શોધ કરતી પોલીસ
દિલ્હી પોલીસે 2 આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે. આતંકવાદીઓ પાસેથી ગ્રેનેડ અને જીવીત કાર્તુસ મળી આવી હતી.
દિલ્હી પોલીસે જહાંગીપુરી વિસતારમાથી બે સંદિગ્ધોની ધરપકડ કરી છે. ત્યાર બાદથી અન્ય ચાર આતંકવાદીઓની શોધવાની કામગીરી હાથ ધરવમાં આવી છે . દિલ્હી પોલીસ તરફથી દાવો કરવામાં આવ્યો છે. "પ્રભાવશાહી હિન્દુ નેતાઓ" ને નિશાન બનાાવવા માટે ચાર આતંકવાદી દેશમાં છુપાયેલા છે. તો ગણતંત્ર દિવસને લઇેન સમગ્ર દિલ્હીમાં સુરક્ષાને કડક કરી દેવામાં આવી છે.
સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર દાવો કરવામાં આવ્યો છે કે, આતંકવાદી સાજીસમાં 8 લોકો સામેલ હતા. જેને હજી પકડવાના બાકી છે. તેમને શોધવામાં આવી રહ્યા છે. જણાવી દઇએ કે, આતંકવાદી સાજીસનો ખુલાસો પૂર્વત્તર દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાથી મળેલા શરીરના અંગોની તપાસ દરમિયાન થયો હતો. દિલ્હી પોલીસના વિશેષ પ્રકોષ્ઠની તપાસમાં પડીતની ઓળખાણ નથી થઇ શકી.
તેના માથાને કેમરાની સામે કાપવામાં આવ્યો હતો. તેના દ્રશ્યો આતંકવાદીઓ ના પાક સ્થિત આકાઓ સાથે શેર કરવામાં આવ્યા હતા. ધરપકડ કરવામા આવેલા આતંકવાદીની ઓળખ નૌશાદ અને જગજીત સિહ ના રૂપમાં કરવામાં આવી છે. જગજીત સિહ ખાલિસ્તાની આતંકવાદીઓ સાથે જોડાયેલો હતો. તો નૌશાદ પાકિતાન સ્થિત આતંકવાદી સમૂહ હરકત ઉલ અંસાર સાથે જોડાયેલો હતો.
પોલીસ સૂત્રો અનુસાર પંજાબ અને દિલ્હીના ઘણા નેતાઓ આતંકવાદી સમૂહના નિશાના પર છે. અને તેમાથી બે પર હુમલો કરવાની તારીખ ને સમય પણ આપવામાં આ્વ્યો હતો. પોલીસ ખાસિ્તાનની સંગઠન અને પાકિસ્તાનની ખુફિયા એજેન્સી આઇએસઆઇની સાંઠગાંઠની સંભાવના પર પર પણ તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ સૂત્રોએ એ પણ દાવો કર્યો છે કે, પાક સ્થિત આકાઓએ મોડ્યુલ આકંવાદીઓને હથિયારોની પહોચાડવા માટે 'ડ ડ્રોપ વિધિ"નો ઉપયોગ કર્ય છે. નૌશાદ અને જગજીત પાસેથી ત્રણ પિસ્ટલ અને બે હેન્ડ ગ્રેનેડ અને જીવિત કાર્તુસ મળી છે.