Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સનાતન પર વિવાદિત નિવેદનના કારણે ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિન સામે નોંધાઈ એફઆઈઆર

Udhyanidhi Stalin: ડીએમકે નેતા અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ મહારાષ્ટ્રમાં એફઆઈઆ દાખલ કરવામાં આવી છે. વાસ્તવમાં, ઉદયનિધિએ જે રીતે સનાતન ધર્મને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ત્યારથી તે સતત વિવાદોમાં છે, જેના કારણે મહારાષ્ટ્રમાં તેમની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

મીરા રોડ પોલીસે માહિતી આપી છે કે પોલીસે આ મામલે આઈપીસીની કલમ 153A અને 295A હેઠળ કેસ નોંધ્યો છે. તમને જણાવી દઈએ કે ઉદયનિધિ સ્ટાલિને એક કાર્યક્રમ દરમિયાન સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે કરી હતી અને કહ્યુ હતુ કે આનો અંત આવવો જોઈએ.

Udhyanidhi Stalin

તેમણે કહ્યું કે તેને ભૂંસી નાખવો જોઈએ. તેમના આ નિવેદનને લઈને ઘણો વિવાદ થયો હતો. જોકે, વિપક્ષી પાર્ટીના નેતાઓએ તેમના નિવેદનથી પોતાને દૂર રાખ્યા હતા.

જ્યારે ઉદયનિધિને સનાતન ધર્મ પરના તેમના નિવેદન અંગે સ્પષ્ટતા માંગવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે તેઓ તેમના નિવેદન પર સંપૂર્ણ રીતે અડગ છે. આટલું જ નહીં, જ્યારે એક પત્રકારે તેમને આ અંગે પ્રશ્ન પૂછ્યો તો તેમણે પોતે જ પત્રકારને પૂછવાનું શરૂ કર્યું કે, મને કહો કે તમે સનાતન ધર્મમાં માનો છો?

તમિલનાડુ ભાજપના નેતાઓએ મંગળવારે ઉદયનિધિ સ્ટાલિન સામે કેસ નોંધવાની માંગ કરી હતી. આ અંગે તેમણે પોલીસને આવેદનપત્ર પણ આપ્યું છે. ભાજપે પોલીસને સુપ્રીમ કોર્ટના નિર્દેશને પણ ટાંક્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે દ્વેષપૂર્ણ ભાષણના કેસોમાં, રાજ્યએ પોતાની રીતે કાર્યવાહી કરવી જોઈએ અને કેસ નોંધવો જોઈએ. ભાજપના પ્રતિનિધિમંડળે કહ્યું કે આવા મામલામાં કેસ ન નોંધવો એ કોર્ટની અવમાનના છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X