UKના વિદેશ મંત્રીએ એસ જયશંકર સાથે કરી વાત, BBC IT સર્વેનો મુદ્દો ઉઠાવ્યો
યુકેએ બીબીસી ઓફિસમાં આઈટી વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વેનો મુદ્દો ઉઠાવ્યો છે. યુકેના વિદેશ મંત્રી જેમ્સ ક્લેવરલીએ પોતે આ અંગે માહિતી આપી છે.
યુકેએ બીબીસી ઓફિસમાં આઈટી વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વેનો મુદ્દો ઉઠાવ્યો છે. યુકેના વિદેશ મંત્રી જેમ્સ ક્લેવરલીએ પોતે આ અંગે માહિતી આપી છે. ગયા મહિને, ટેક્સ અધિકારીઓએ નવી દિલ્હી અને મુંબઈમાં બીબીસીની ઓફિસની તપાસ કરી હતી. ક્લેવરલીએ રોઈટર્સને જણાવ્યું કે તેણે ગયા મહિને બીબીસીની દિલ્હી અને મુંબઈ ઓફિસમાં તેમના ભારતીય સમકક્ષ એસ જયશંકર સાથે દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન આવકવેરા વિભાગના સર્વેક્ષણનો મુદ્દો ઉઠાવ્યો હતો.

ગયા મહિને કરાયુ હતુ સર્ચ ઓપરેશન
ગયા મહિને ત્રણ દિવસ સુધી બીબીસીની ઓફિસની સર્ચ કરવામાં આવી હતી. લંડન સ્થિત બીબીસી દ્વારા યુકેમાં વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરી 'ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ન' પ્રસારિત થયાના અઠવાડિયા પછી આવકવેરા વિભાગ દ્વારા આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ડોક્યુમેન્ટ્રીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને 2002ના ગુજરાત રમખાણોનો સંદર્ભ આપવામાં આવ્યો હતો.
બીબીસીના કાર્યાલયોની શોધ કર્યા પછી આઈટી વિભાગે દાવો કર્યો હતો કે તેની આવક, અથવા વિવિધ સંસ્થાઓ દ્વારા દર્શાવવામાં આવેલ નફો, 'ભારતમાં કામગીરીના ધોરણને અનુરૂપ નથી'. સર્વેક્ષણ પછીના તેના નિવેદનમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ જણાવ્યું હતું કે તેને વિસંગતતાઓ મળી છે અને સંસ્થાના એકમો દ્વારા જાહેર કરાયેલ આવક અને નફો "ભારતમાં કામગીરીના સ્કેલ સાથે સુસંગત નથી".

યુકે સરકારે કર્યો BBCનો બચાવ
આ અઠવાડિયાની શરૂઆતમાં યુકે સરકારે સંસદમાં બીબીસી અને તેની સંપાદકીય સ્વતંત્રતાનો મજબૂત બચાવ કર્યો અને કહ્યું: "અમે બીબીસીની સાથે છીએ. અમે બીબીસીને ફંડ આપીએ છીએ. અમને લાગે છે કે BBC વર્લ્ડ સર્વિસ મહત્વપૂર્ણ છે." હાઉસ ઓફ કોમન્સમાં એક તાત્કાલિક પ્રશ્નના જવાબમાં, FCDOના સંસદીય અન્ડર-સેક્રેટરી, ડેવિડ રુટલીએ જણાવ્યું હતું કે સરકાર I-T વિભાગ દ્વારા ચાલી રહેલી તપાસ પર કરવામાં આવેલા આરોપો પર ટીપ્પણી નહીં કરે પરંતુ મીડિયાની સ્વતંત્રતા અને વાણી સ્વાતંત્ર્યને હંમેશા સમર્થન આપશે.
|
બ્રિટનના યુવાનો માટે શરૂ કરાઇ યોજના
યુકેના વિદેશ સચિવ જેમ્સે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે દ્વિપક્ષીય બેઠક દરમિયાન યંગ પ્રોફેશનલ્સ સ્કીમના પ્રારંભ અંગે ચર્ચા કરી હતી. આ સાથે, બંને વિદેશ પ્રધાનોએ વૈશ્વિક સ્થિતિ તેમજ G20 એજન્ડા પર વિચારોનું આદાનપ્રદાન કર્યું. વિદેશ મંત્રી જયશંકરે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ માહિતી શેર કરી છે.
બ્રિટિશ દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યંગ પ્રોફેશનલ સ્કીમ યુકે અને ભારત વચ્ચેની મહત્વાકાંક્ષી નવી ભાગીદારી છે. જે બ્રિટનને વાર્ષિક ₹3000 અને અન્ય દેશમાં રહેવા અને કામ કરવા માટે 3000 ભારતીયોને આપે છે. વિદેશ સચિવે કહ્યું કે ભારત અમારો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગીદાર છે અને આ યોજનાની શરૂઆતથી અમારા સંબંધો વધુ ગાઢ બનશે. તેમણે કહ્યું કે તે યુકેની અર્થવ્યવસ્થાને આગળ વધારવામાં અને ભવિષ્ય માટે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં પણ મદદ કરશે.
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી








Click it and Unblock the Notifications
