16મીએ દિલ્હી લવાશે ઉલ્ફા નેતા અનૂપ ચેતિયાને!

અધિકારીઓએ જણાવ્યું કે, ચેતિયાને નવી દિલ્હી લાવવામાં આવશે અને સરકારની સાથે શાંતિ વાર્તા કરી રહેલા ઉલ્ફાના સ્વયંભૂ પ્રમુખ અરવિંદ રાજખોવાને રાષ્ટ્રીય રાજધાનીમાં આવવા માટે કહેવામાં આવ્યું છે, જેતી તે ચેતિયા સાથે મુલાકાત કરી શકે. અસમ પોલીસના એક દળ પણ નવી દિલ્હી આવશે., જેથી તે ચેતિયાને અટકાયતમાં લઇ શકે. ચેતિયા પર હત્યા, અપહરણના મામલો દાખલ કર્યો છે.
ઉલ્ફા નેતાએ ઢાકાની અદાલતમાં એ અરજી આપી હતી. તેમાં એક આવેદનમાં તેમણે બાંગ્લાદેશમાં શરણની યાચિકા પરત લેવા તથા બીજી તરફ ભારત મોકલવાનો આગ્રહ કર્યો હતો. ચેતિયાની 1997માં બાંગ્લાદેશમાં ધરપકડ કરવામાં આવી હતી. સરહદ પર ઘુષણખોરી, નકલી પાસપોર્ટ અને ગેરકાયદે રીતે વિદેશી મુદ્રા રાખવાના મામલે તેને સાત વર્ષની સજા આપવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
