Farmers Protest પર UN માનવાધિકારનુ ટ્વિટ, કહ્યુ - અધિકારી અને પ્રદર્શનકારી રાખે સંયમ
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકારે પણ બધાને સંયમ રાખવાની અપીલ કરી છે.
Farmers Protest: છેલ્લા 73 દિવસથી દિલ્લી પાસેની સીમાઓ પર ખેડૂતોનુ આંદોલન ચાલી રહ્યુ છે. ખેડૂતોએ સ્પષ્ટ કરી દીધુ છે કે જ્યાં સુધી નવા કૃષિ કાયદાને પાછા લેવામાં નહિ આવે ત્યાં સુધી તેમનુ આંદોલન ચાલુ રહેશે. પહેલા ગણતંત્ર દિવસ પર ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢી. એ દરમિયાન લાલ કિલ્લા સહિત દિલ્લીના ઘણા વિસ્તારોમાં જોરદાર હિંસા થઈ. ત્યારબાદ હવે આજે ખેડૂતોએ ચક્કાજામનુ એલાન કર્યુ છે. આ દરમિયાન શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકારે પણ ખેડૂત આંદોલન વિશે ટ્વિટ કર્યુ. સાથે જ બધાને સંયમ રાખવાની અપીલ કરી.

સંયુક્ત માનવાધિકારે પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર લખ્યુ કે અમે ભારતના બધા અધિકારીઓ અને પ્રદર્શનકારીઓને અપીલ કરીએ છીએ કે તે ખેડૂત આંદોલન દરમિયાન વધુને વધુ સંયમ રાખે. અભિવ્યક્તિની આઝાદી શાંતિપૂર્વક ઑફલાઈન કે ઑનલાઈન રીતે સંરક્ષિત કરવી જોઈએ. બધા લોકો માટે આ મામલે યોગ્ય સમાધાન શોધવુ જરૂરી છે.
દિલ્લીમાં થઈ હતી જોરદાર હિંસા
તમને જણાવી દઈએ કે ખેડૂતોએ દિલ્લી પોલિસને ગણતંત્ર ટ્રેક્ટર રેલી કાઢવા માટે મંજૂરી માંગી હતી. ઘણા દોરની વાતચીત બાદ પોલિસે નક્કી રૂટ પર રેલીની મંજૂરી આપી. આ દરમિયાન મોટી સંખ્યામાં ઉપદ્રવી ટ્રેક્ટર્સની સાથે લાલ કિલ્લા સુધી પહોંચી ગયા અને ત્યાં જોરદાર હિંસા કરી. સાથે જ લાલ કિલ્લા પર નિશાન સાહિબ લહેરાવી દીધુ. આ હિંસામાં એક વ્યક્તિનુ મોત થઈ ગયુ જ્યારે 400થી વધુ પોલિસકર્મી ઘાયલ થઈ ગયા હતા.
આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠ્યો મુદ્દો
ગણતંત્ર દિવસ પર થયેલી હિંસા બાદ ખેડૂત આંદોલને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણુ ચર્ચામાં રહ્યુ. સૌથી પહેલા પૉપ સ્ટાર રિહાનાએ ખેડૂત આંદોલન સાથે જોડાયેલ એક ન્યૂઝ લિંક શેર કરી અને પૂછ્યુ કે આપણે આના પર વાત કેમ નથી કરી રહ્યા. ત્યારબાદ પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે પણ ખેડૂતોના સમર્થનનુ એલાન કર્યુ. જો કે બાદમાં ભારતીય વિદેશ મંત્રાલયે વિદેશી હસ્તીઓને આંતરિક મામલે દખલ ન દેવાની સલાહ આપી હતી.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?









Click it and Unblock the Notifications
