જેટલી પહોંચ્યા નોર્થ બ્લોક, શું બજેટ કૃષિ અને ઉદ્યોગનું સમન્વય હશે?
દિલ્હીમાં નાણાં પ્રધાન અરુણ જેટલી સોમવારે 11 વાગે તેમનું ત્રીણુ બજેટ રજૂ કરશે. આ બજેટ જેટલું મહત્વપૂર્ણ છે એટલું મુશ્કેલીભર્યું પણ છે. ત્યારે હાલ નોર્થ બ્લોક પહોંચેલા અરુણ જેટલી હવે ગણતરીના સમયમાં બજેટ રજૂ કરશે. ત્યારે હાલ બજેટ રજૂ કરતા પહેલાની ચર્ચા થઇ રહી છે.
આ બજેટથી ખેડૂતો અને ઉદ્યોગપતિઓ ભારે આશ લગાવીને બેઠા છે. વધુમાં માનવામાં આવી રહ્યું આ બજેટમાં ટેક્સ સ્લેબમાં અનેક બદલાવ આવી શકે છે. વળી રોકાણકારોનો ભરોસા બનાવી રાખવા માટે પણ નાણાં પ્રધાન ખાસ પ્રયાસ કરવો પડશે. વળી ખેડૂતોને કૃષિ લોન મળવાની પણ આશ છે.

નોંધનીય છે કે હાલ વિકાસ દર 7 થી 7.5 ટકાની વચ્ચે છે. વળી મોંધવારી પણ વધી છે. અને સરકારની તિજોરી પણ તળવા ચાટી રહી છે આ તમામની વચ્ચે સરકારી તિજોરી કેવી રીતે ભરવી અને કેવી રીતે સ્ટાર્ટ અપ ઇન્ડિયાથી લઇને વિવિધ નવી યોજનાઓને ધ્યાનમાં રાખીને બજેટમાં ખેતી અને ઉદ્યોગ બન્નેનો યોગ્ય સમન્વ કરવો તે અરુણ જેટલી માટે ચિંતાનો વિષય રહેશે. ત્યારે 11 વાગે અરુણ જેટલી તેમના બજેટમાં લોકોને શું શું લાહણી કરે છે તે તો હવે જોવું જ રહ્યું.












Click it and Unblock the Notifications
