વિરોધ પક્ષની એકજુટતા પર કેન્દ્રીય મંત્રી સિંધિયાનો કટાક્ષ, એક બીજાને નફરત કરનાર કુંટુંબની જેમ સાથે આવી રહ્યા છ
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ વિપક્ષની એકજુટતા પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યુ કે, જે લોકો એક બીજાને પસંદ નથી કરી રહ્યા તે એક બીજાની વિચારધારાથી નફરત કરતા હતા. એક બીજા પર કટાક્ષ કરતા હતા. તે આજે એક કુટુંબની જેમ એક સાથે આવી રહ્યા છે.

સિંધિયાએ કહ્યુ કે, વિપક્ષ હેરાન છે કે, એટલા માટે જે પાર્ટીઓ એક બીજા સાથે નફરત કરતી હતી એક બીજાનો સામનો નહોતી કરતી તે હવે એક પરિવારની જેમ એક સાથે આવી રહી છે. અમને વિશ્વાસ છે કે, દેશમાં જનતાને પ્રધાનમંત્રી મોદી અને ભાજપા પર વિશ્વાસ છે. ત્રીજી વાર પણ જનતા ભાજપની સરકાર બનાવશે.
ગુરુવારે મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી સિંધિયાએ કહ્યુ કે, જેની વિચારધારામાં અપવિત્રતા છે તે લોકો આજે દેશબરમાં પ્રદર્શન કરી રહ્યા છે. મને આશ્ચર્ય છે કે, જે વિચારધાર અને સ્પષ્ટ રુપથી દેશ અન જનતાએ પૂર્ણ રુપથી રિજેક્ટ કરી દિધી છે. તે જ સોચ વિચારધારને વિપક્ષ વારંવાર પ્રસ્તુતિકરણ કરી રહ્યા છે. આ દેશમાં વિકાસ અને પ્રગતિના નવા આયામ પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં થઇ રહ્યુ છે.
તેમણે ભાજપની વિચાર અને વિચારધારા જન સેવા અને જનકલ્યાણ અને ગરીબ કલ્યાણ આ ત્રણ મુખ્ય મુદ્દાઓના આધારે સેવા ભાવની સરકાર છે. જે જનતા માટે સમર્પિત ભાવથી કામ કરે છે. વિપક્ષમાં જે એક રીતે ખલબલી મચી ગઇ છે. કેમ કે, લોકંતંત્રનો પર્વ પાસે આવી રહ્યો છે. જે પક્ષ એક બીજાને નફરત કરી રહ્યા છે તે હવે એક બીજાની નજીક આવી રહ્યા છે. અમને પૂર્ણ વિશ્વાસ છે કે, દેશની જનતાનો વિશ્વાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી પર છે.












Click it and Unblock the Notifications
