આ ફેમસ બોલિવૂડ અભિનેત્રીએ જેનો પણ પ્રચાર કર્યો તેઓ બધા હાર્યા
લોકસભા ચૂંટણી 2019 પરિણામો આવી ગયા છે. મોદીની સુનામી આગળ કોઈ પણ ટકી શક્યું નહીં. દેશે ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદીના હાથમાં સત્તા સોંપી છે.
લોકસભા ચૂંટણી 2019 પરિણામો આવી ગયા છે. મોદીની સુનામી આગળ કોઈ પણ ટકી શક્યું નહીં. દેશે ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદીના હાથમાં સત્તા સોંપી છે. લોકસભા ચૂંટણીમાં કેટલાક એવા ચહેરાઓ હાર્યા જેમના માટે ઘણા પ્રચાર કરવામાં આવ્યા, બોલિવૂડનો તડકો લાગ્યો તેમ છતાં કઈ કામ નહીં આવ્યું. ચૂંટણી પરિણામો સામે આવ્યા પછી ફરી સ્વરા ભાસ્કરને સોશ્યિલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે. મોદીની જીત પછી તેમનો વિરોધ કરતી સ્વરા ભાસ્કરને ટ્રોલ કરવામાં આવી છે. લોકોએ સોશ્યિલ મીડિયા પર તેને પનોતી ગણાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો: આઝાદી બાદ ગુજરાતની આ સીટ પર જે અત્યાર સુધી જીત્યુ તેની જ બની કેન્દ્રમાં સરકાર
સોશ્યિલ મીડિયા પર સ્વરા ભાસ્કર ટ્રોલ થઇ
બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે લોકસભા ચૂંટણી 2019 માટે ખુબ જ આગળ વધીને ભાગ લીધો. ઘણા રોડ શૉ પણ કર્યા. પોતાના બિર્થ ડે દિવસે પણ સ્વરા ભાસ્કરે રેલીઓ કરી, પરંતુ તેમની મહેનત કામ નથી આવી. ચૂંટણી પરિણામ સામે આવ્યા પછી સાફ થઇ ગયું છે કે સ્વરા ભાસ્કરે જે નેતાઓ માટે પ્રચાર કર્યો તેમાંથી કોઈ પણ જીતી શક્યું નથી.
અનલકી સાબિત થઇ સ્વરા
સ્વરા ભાસ્કરે કોંગ્રેસના દિગ્વિજય સિંહ, સીપીઆઇ પાર્ટીના કન્હૈયા કુમાર અને આમ આદમી પાર્ટીના આતિશી અને રાઘવ ચઢ્ઢા માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો, પરંતુ તેમાંથી કોઈ પણ ઉમેદવાર ચૂંટણી જીતી શક્યો નહીં.
સ્વરા ભાસ્કરે તેનો પ્રચાર કર્યો તેઓ બધા જ હાર્યા
સ્વરાએ ભોપાલથી કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ માટે રોડ શૉ અને ચૂંટણી પ્રચાર કર્યો પરંતુ તેઓ ભાજપા ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સામે હારી ગયા. ધ્યાન આપવા જેવી બાબત છે કે સ્વરા આ લોકો માટે ગુડ લક લાવવામાં નિષ્ફળ રહી, જેમના માટે તેમને ઘણો પ્રચાર કર્યો હતો.
સ્વરા ભાસ્કરે લોકોને જવાબ આપ્યો
ચૂંટણી પરિણામો પછી સોશ્યિલ મીડિયા પર ટ્રોલ થયા પછી સ્વરા ભાસ્કરે લોકોને જવાબ આપ્યો. સ્વરા ભાસ્કરે કહ્યું કે તેને ચાર નહીં પરંતુ 6 લોકો માટે પ્રચાર કર્યો હતો, કોઈને ટ્રોલ કરતા પહેલા પોતાના તથ્યો તપાસી લો.