ઉન્નાવ રેપ કેસઃ ભાજપના ધારાસભ્ય સેંગરને લઈ પ્રિયંકાએ મોદીને કહ્યું- હજુ મોડું નથી થયું..

ઉન્નાવ રેપ કેસઃ ભાજપના ધારાસભ્ય સેંગરને લઈ પ્રિયંકાએ મોદીને કહ્યું- હજુ મોડું નથી થયું..

લખનઉઃ ઉન્નાવ રેપ પીડિતાના એક્સિડેન્ટ બાદ દેશભરમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. રેપના આરોપી BJP ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર લાગી રહેલ ગંભીર આરોપો બાદ યૂપીની યોગી સરકાર બૈકફુટ પર જોવા મળી રહી છે. સેંગરને લઈ વિપક્ષ સતત યોગી સરકાર પર હુમલા બોલી રહ્યું છે. યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની સાથોસાથ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આ મામલામાં સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. મંગળવારે પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરતા સેંગરને પાર્ટીથી બહાર કાઢવાની વાત કહેતા લખ્યું, મિસ્ટર પ્રધાનમંત્રી, હજુ મોડું નથી થયું, ભગવાન માટે આ અપરાધી અને તેના ભાઈને પાર્ટીનું સંરક્ષણ આપવાનું બંધ કરો.

એફઆઈઆરમાં નામ નોંધાયા બાદ પણ કેમ ન કાઢ્યો

એફઆઈઆરમાં નામ નોંધાયા બાદ પણ કેમ ન કાઢ્યો

પ્રિયંકા ગાંધીએ લખ્યું, 'આપણે કુલદીપ સેંગર જેવા રાજનૈતિક શક્તિ અને સંરક્ષણ કેમ આપીએ છીએ, અને પીડિતોને એકલા જિંદગીની જંગ લડવા કેમ છોડી દઈએ છીએ? FIRમાં સ્પષ્ટ છે કે પરિવારને ડરાવવા અને ધમકાવવામાં આવ્યો હતો. સાથે જ તેમાં યોજનાબદ્ધ દુર્ઘટનાની સંભાવનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.' પ્રિયંકા ગાંધીએ કુલદીપ સેંગરના પાર્ટીમાં બન્યા રહેવાને લઈને લખ્યું કે ભાજપ કોનો ઈંતેજાર કરી રહ્યું છે? એફઆઈઆરમાં તેનું નામ હોવા છતાં આ શખ્સને પાર્ટીથી કેમ કાઢવામાં નથી આવ્યો?

ઉન્નાવ રેપ પીડિતાનો એક્સિડેન્ટ

ઉન્નાવ રેપ પીડિતાનો એક્સિડેન્ટ

જણાવી દઈએ કે રાયબરેલીમાં રવિવારે બપોરે ઉન્નાવ રેપ પીડિતાનો અકસ્માત થયો. ટ્રકની ટકક્રમાં રેપ પીડિતાની ચાચી અને મોસીનું મોત થયું જ્યારે પીડિતા અને તેનો વકીલ ગંભીર રીતે ઘાયલ થયા છે. બંનેને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. પરિજનોએ ભાજપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર એક્સીડેન્ટ કરાવવાનો આરોપ લગાવ્યો. આ મામલામાં સેંગર સહિત 10 લોકો પર એફઆઈઆર નોંધવામાં આવી છે.

નિવેદન બદલા દબાણ નાખ્યું

નિવેદન બદલા દબાણ નાખ્યું

પીડિતાના ચાચાએ આગળ જણાવ્યું કે બાદમાં કુલદીપ સિંહ સેંગરે તે લોકોને જેલથી ફોન કર્યો. તેણે ફોન કરી કહ્યું કે જો જીવવા માંગતા હોય તો નિવેદન બદલી દો. તે રાયબરેલીની જેલમાં એક અન્ય કેસમાં બંધ છે અને આજીવન કારાવાસની સજા કાપી રહ્યા છે, તેને જ મળવા માટે પરિજનો જ્યારે જેલ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. પરિજનોનો આરોપ છે કે આ લોકો પર સતત કેસ પાછો લેવા માટે દબાણ બનાવવામાં આવી રહ્યું હતું. વારંવાર ફરિયાદ કરવા પર કોઈ કાર્યવાહી કરવામાં ન આવી. આખરે પોલીસ દ્વારા નોંધાયેલ એફઆઈઆરમાં દાવો કરવામાં આાવ્યો કે પીડિતાને ગામમાં તહેનાત પોલીસકર્મી સામે જ ભાજપી ધારાસભ્યનો ફોન આવ્યો અને કહ્યું હતું કે મામલો ન ઉકેલ્યો તો તેમને મારી નાખશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X