Unnao Rape Case: પીડિતાની બહેને કહ્યું- એક અઠવાડિયામાં આરોપીને સજા નહિ મળી તો અગ્નીસ્નાન કરી લઈશ
Unnao Rape Case: પીડિતાની બહેને કહ્યું- એક અઠવાડિયામાં આરોપીને સજા નહિ મળી તો અગ્નીસ્નાન કરી લઈશ
નવી દિલ્હીઃ ઉન્નાવ રેપ કેસની પીડિતાના દેહનું આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, મૃતદેહને ઘરથી એક કિમી દૂર ખેતરમાં આવેલ તેના દાદા-દાદીની સમાધી પાસે દફનાવવામાં આવ્યો છે, જિલ્લા પ્રશાસનના અધિકારીઓએ પીડિતાની બહેનને સરકારી નોકરી આપવાનું આશ્વાસન આપ્યું, જે બાદ પરિજનો અંતિમ સંસ્કાર માટે તૈયાર થઈ ગયા હતા, જણાવી દઈએ કે પીડિતાની બહેને મુખ્યમંત્રી આવાસની સામે આત્મહત્યા કરવાની ચેતવણી આપી છે.

...તો સીએમ આવાસ સામે અગ્નીસ્નાન કરીશ
પીડિતાની બહેને કહ્યું કે જો એક અઠવાડિયામાં આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ના આવી તો મુખ્યમં્રી આવાસ સામે જ અગ્નીસ્નાન કરીશ, અગાઉ પીડિતાની બહેને કહ્યું હતું કે જ્યાં સુધી સીએમ યોગી આદિત્યનાથ અહીં નહિ આવે ત્યાં સુધી દેહના અંતિમ સંસ્કાર નહિ કરે, સાથે જ પીડિતાના પરિજનોએ સરકારી નોકરીની ડિમાન્ડ કરી હતી, જે બાદ જિલ્લા પ્રશાસનના અધિકારીઓએ પીડિતાની બહેનને સરકારી નોકરી આપવાનું આશ્વાસન આપ્યું હતું, જે બાદ પરિજન અંતિમ સંસ્કાર માટે તૈયાર થઈ ગયા.

પીડિત પરિવારને 25 લાખ રૂપિયા આપવામાં આવ્યા
જણાવી દઈએ કે પીડિત પરિવારને 25 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે, પીડિતાની બહેનને સરકારી નોકરી આપવામાં આવશે અને આવાસ યોજના અંતર્ગત પરિવારને મકાન આપવામાં આવશે, આ ઉપરાંત છોકરીની બહેનને મહિલા પોલીસની સુરક્ષા પણ આપવામાં આવશે.

તડપી તડપીને પીડિતાએ જીવ ગુમાવ્યો
જણાવી દઈએ કે પીડિતા 45 કલાક સધી મોતથી લડ્યા બાદ આખરે શુક્રવારે પોતાના અંતિમ શ્વાસ લીધા. 90 ટકા ભળી ગયા બાદ દમ તોડી ચૂકેલ દુષ્કર્મ પીડિતાના દેહને શનિવારે રાત્રે દિલ્હીથી તેના ગામે પહોંચાડવામાં આવ્યો. ગામમા મોટેપાયે સુરક્ષા બળ તહેનાત છે, ઘટનાને પગલે આખું ગામ શોકમગ્ન થયું છે.












Click it and Unblock the Notifications
