ઉત્તર પ્રદેશઃ પીલીભીતમાં બસ-બોલેરો વચ્ચે ભીષણ અકસ્માત, 7ના મોત, 32 ઘાયલ
ઉત્તર પ્રદેશના પીલીભીતમાં એક મોટી દૂર્ઘટના બની ગઈ છે.
પીલીભીતઃ ઉત્તર પ્રદેશના પીલીભીતમાં એક મોટી દૂર્ઘટના બની ગઈ છે. પીલીભીતના પુરાનપુર વિસ્તારમાં બસ અને બોલેરોની ભીષણ ટક્કર થઈ છે. જેમાં 7 લોકોના મોત થઈ ગયા છે અને 32 લોકો ઘાયલ થઈ ગયા છે. આ માહિતી 17 ઓક્ટોબરની સવારે પીલીભીતના એસપીએ આપી છે. આ બાબતે વધુ માહિતી મેળવાઈ રહી છે.
ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. દૂર્ઘટના શનિવાર(17 ઓક્ટોબર) સવારે નેશનલ હાઈવે NH-730 પર બની છે. મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. હાલમાં અકસ્માતના કારણ વિશે જાણવા મળી શક્યુ નથી.
ટીવી રિપોર્ટ મુજબ સ્થાનિક લોકોએ જણાવ્યુ કે બોલેરો(પિકઅપ વેન)ના ડ્રાઇવરને ઉંઘ આવી ગઈ, આ દરમિયાન તેણે ચાલતી બસને ટક્કર મારી. ત્યારબાદ બસ પલટી ગઈ. મરનાર 7 લોકોમાંથી 6 બસના મુસાફર હતા અને એક વ્યક્તિ પિકઅપ વેનમાં બેઠો હતો.
7 dead and 32 injured after a bus and a Bolero collided with each other in Puranpur area: Jai Prakash, SP Pilibhit pic.twitter.com/l918gQiwIR
— ANI UP (@ANINewsUP) October 17, 2020
ચીન સાથે વિવાદ વચ્ચે ભારતને વધુ એક સફળતા, પૃથ્વી 2 મિસાઈલનું સફળ પરીક્ષણ