Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

DSP મર્ડર કેસઃ રાજા ભૈયા સહિત ચારને ક્લીનચિટ

rajabhaiyya
નવી દિલ્હી, 1 ઑગસ્ટઃ ચર્ચિત ડીએસપી જિયા ઉલ હક હત્યા કેસમાં ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા સહિત ચાર લોકોને સીબીઆઇએ ક્લીન ચિટ આપી દીધી છે. સીબીઆઇએ કહ્યું છે કે, પૉલીગ્રાફી ટેસ્ટમાં રાજા ભૈયાનો ટેસ્ટ પોઝીટીવ આવ્યો, જેના કારણે તેમની વિરુદ્ધ કોઇ પુરાવા મળ્યા નથી. આ ઉપરાંત અન્ય ચાર વ્યક્તિ ગુલશન યાદવ, હરિઓમ શ્રીવાસ્તવ, રોહિત સિંહ અને ગુડ્ડુ સિંહ વિરુદ્ધ પણ કોઇ પુરાવા નહીં મળવાના કારણે તેમને પણ ક્લીન ચિટ આપવામાં આવી છે.

સરકારી સૂત્રો અનુસાર 20 જૂને નવી દિલ્હીની સેન્ટ્રલ ફોરેન્સિક લેબમાં તેમના પર કરવામાં આવેલા લાઇ ડિટેક્ટર પરીક્ષણમાં આ ગુનામાં તેમની ભૂમિકા હોવાનું બહાર આવ્યું નહોતુ. સીબીઆઇની વિશેષ અદાલતે ગુરુવારે તપાસ સંસ્થા તરફથી આ સંબંધમાં રિપોર્ટ રજૂ કરવામાં આવે તેવી સંભાવના છે. આ રિપોર્ટમાં રાજા ભૈયાને લાઇ ડિટેક્ટર પરીક્ષણના આધારે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, યુપીના પ્રતાપગઢના કુંડાના ડીએસપી જિયા ઉલ હકની બલીપુર ગામમાં હત્યા કરી દેવામાં આવી હતી. તે ગામ પ્રધાન નન્હે યાદવ અને તેના ભાઇ સુરેશ યાદવની હત્યા બાદ ફેલાયેલી હિંસાને રોકવા માટે ત્યાં પહોંચ્યા હતા. બાદમાં ડીએસબીની પત્ની પરવીન આઝાદે તત્કાલિન ખાદ્યમંત્રી રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા પર પતિની હત્યાનો આરોપ લગાવ્યો હતો.

ત્યારબાદ રાજા ભૈયાએ મંત્રીમંડળમાંથી રાજીનામું આપવાની ફરજ પડી. તપાસ સીબીઆઇને સોંપવામાં આવ્યા બાદ ગત 15 અને 16 મેના રોજ રાજા ભૈયા સાથે પૂછપરછ કરવામાં આવી હતી અને અદાલતની પરવાનગી બાદ તેમનો લાઇ ડિટેક્ટર ટેસ્ટ કરવામાં આવ્યો. આ પહેલા જો કે, સીબીઆઇએ અદાલતમં રજૂ કરેલી ચાર્જશીટમાં રાજા ભૈયાના નામનો ઉલ્લેખ કર્યો નહોતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X