DSP મર્ડર કેસઃ રાજા ભૈયા સહિત ચારને ક્લીનચિટ

સરકારી સૂત્રો અનુસાર 20 જૂને નવી દિલ્હીની સેન્ટ્રલ ફોરેન્સિક લેબમાં તેમના પર કરવામાં આવેલા લાઇ ડિટેક્ટર પરીક્ષણમાં આ ગુનામાં તેમની ભૂમિકા હોવાનું બહાર આવ્યું નહોતુ. સીબીઆઇની વિશેષ અદાલતે ગુરુવારે તપાસ સંસ્થા તરફથી આ સંબંધમાં રિપોર્ટ રજૂ કરવામાં આવે તેવી સંભાવના છે. આ રિપોર્ટમાં રાજા ભૈયાને લાઇ ડિટેક્ટર પરીક્ષણના આધારે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, યુપીના પ્રતાપગઢના કુંડાના ડીએસપી જિયા ઉલ હકની બલીપુર ગામમાં હત્યા કરી દેવામાં આવી હતી. તે ગામ પ્રધાન નન્હે યાદવ અને તેના ભાઇ સુરેશ યાદવની હત્યા બાદ ફેલાયેલી હિંસાને રોકવા માટે ત્યાં પહોંચ્યા હતા. બાદમાં ડીએસબીની પત્ની પરવીન આઝાદે તત્કાલિન ખાદ્યમંત્રી રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા પર પતિની હત્યાનો આરોપ લગાવ્યો હતો.
ત્યારબાદ રાજા ભૈયાએ મંત્રીમંડળમાંથી રાજીનામું આપવાની ફરજ પડી. તપાસ સીબીઆઇને સોંપવામાં આવ્યા બાદ ગત 15 અને 16 મેના રોજ રાજા ભૈયા સાથે પૂછપરછ કરવામાં આવી હતી અને અદાલતની પરવાનગી બાદ તેમનો લાઇ ડિટેક્ટર ટેસ્ટ કરવામાં આવ્યો. આ પહેલા જો કે, સીબીઆઇએ અદાલતમં રજૂ કરેલી ચાર્જશીટમાં રાજા ભૈયાના નામનો ઉલ્લેખ કર્યો નહોતો.












Click it and Unblock the Notifications
